Gujarat

સીટી બસે ટક્કર મારતાં રાજકોયના PSIનું થયું દુઃખ નિધન!બે સંતાનો એ પિતા ની છત્રછાયામાં ગુમાવી .

હાલના સમયમાં આપણે અવારનવાર સાંભળતા હોઈએ છીએ કે, રોડ અકસ્તમાતનાં બનાવ બનતા હોય છે, ત્યારે હાલમાં જ એક દુઃખ ઘટના બની જેના લીધે રાજકોટના પી.એસ.આઈનું દૂખ નિધન થયેલું. આ કારણે પરિવારજનોમાં શોકમગ્ન વાતાવરણ છવાઈ ગયું છે. આ ગંભીર ઘટના કંઈ રીતે બની તેના વિશે અમે આપને સંપૂર્ણ માહિતી જણાવીએ. ખરેખર આજના સમયમાં દરેક વાહનચાલકોએ રોડ પર સાવચેત અને સલામતી સાથે વાહન ચલાવવું જોઈએ. ચાલો અમે આપને આ ઘટના વિગતવાર જણાવીએ.

હાલમાં જ સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ જાણવા મળ્યું છે કે,રાજકોટમાં સિટી બસની ટક્કરે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા પીએસઆઈનું મુત્યુ થયું. વાત જાણે એમ છે કે, ટક્કર લાગતા સ્કૂટર સવાર પીએસઆઇ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, સારવાર દરમિયાન પોતાનો જીવ છોડ્યો. હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા એચએ અઘામ ગઈકાલે વિકઓફ હોવાથી કામ માટે બહાર નીકળ્યા અને અકસ્માતનો ભોગ પડતા પોતાનું જીવન ગુમાવી બેઠાં. ખરેખર આ ઘડીએ આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે એમની દિવ્ય આત્માને શાંતિ મળે.

પીએસઆઈ ગઈકાલે તેમનો વિક ઓફ હતો. તેથી તેઓ પોતાની સ્કૂટર એક ખાનગી કામ માટે નીકળ્યા હતા. તેઓ રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર શીતલ પાર્ક ચોકથી ડાબી તરફ ટોઈંગ સ્ટેશન તરફથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી આવેલી સિટી બસે તેમને ટક્કર મારી હતી.  ટક્કર એટલી જોરદાર હતી કે, તેમના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તેમના નિધનથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. તેમના પરિવારમાં દુઃખ વાતાવરણ છવાઈ ગયું છે.

ખાસ કરીને આવી ઘટનાઓ આપને કાંઈક શીખ આપવા માંગતી હોય છે. જીવનમાં હંમેશા આપણા જીવ થી વ્હાલો પરિવાર છે અને એની ચિંતા ખાતર વાહન ધીરે ચલાવો અને સાવચેત રહો. આ ઘટનાઓ હંમેશા આકસ્મિક બનતી હોય છે, છતાંય પણ હેલમેન્ટ પહેરવું ખૂબ જ જરૂરી છે. હાલમાં આ ઘટના બનવાથી પોલીસ સ્ટાફ આઘાતમાં છે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!