પ્રેરણાત્મક કિસ્સા:પતિનું કોરોનાથી અવસાન થતાં તેમના સ્થાને સરકારી નોકરી મેળવવા માટે
ગુજરાત મા સોમવાર થી ધોરણ 10 અને 12 ની પરીક્ષા ઓ નો પ્રારંભ થયો હતો ત્યારે કોરોના ના લીધે ઘણા લાંબા સમય બાદ વિદ્યાર્થી ઓ ઓફ લાઈન પરીક્ષા આપવા માટે ઘણા ઉત્સુક હતા જયારે ગઈ કાલે એક દુખદ ઘટના પણ સામે આવી હતી જેણા એક વિદ્યાર્થી ને ચાલુ પરીક્ષા એ હાર્ટ એટેક આવ્યા બાદ સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતુ જયારે ઘણા એક્ઝામ આપનાર ની ઉમર 25 થી 35 વર્ષ સુધીના હતા ત્યારે અમુક કિસ્સા ઓ એવા સામે આવ્યા છે જે જાણીને આપણને થશે કે ભણવાની કે શિખવાની કોઈ ઉમર નથી.
એવા જ એક કિસ્સા ની અહી વાત કરીએ તો અમદાવાદ શહેરની કામેશ્વર સ્કૂલમાં એક 34 વર્ષિય મહીલા પરીક્ષા આપવા પહોંચી જે જોઈ ને ઘણા લોકો નવાઈ પામ્યા હતા પરંતુ એ મહિલા ની હકીકત જાણતા ઘણા લોકો ને પ્રેરણા મળે તેવી છે. મહીલા નુ નામ હર્ષાબેન સોલંકી હતુ અને તેવો ના પતિ કોરોના ની બીજી લહેર મા મૃત્યુ પામ્યા હતા એવો ના પતિ પોસ્ટ વિભાગ મા નોકરી કરતા હતા અને હવે તેમની જગ્યા એ નોકરી મેળવવા માટે 10 પાસ કરવુ જરુરી હોવાથી તેવો પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા.
હર્ષા બહેન નુ માનવુ હતુ કે તેવો ને નોકરી મળશે પછી પણ તેવો આગળ નો અભ્યાસ ચાલુ રાખશે અને પરીવાર નો જીવન નિર્વાહ ચલાવીને સંતાનોની ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરવા માંગે છે. જયારે એક અન્ય કિસ્સા ની વાત કરીએ તો
ધંધૂકામાં ગ્રામ રક્ષક દળમાં ફરજ બજાવતા 33 વર્ષીય રસિલાબેન દુધરેજીયા અને તેમનો 15 વર્ષનો પુત્ર બંને ધો.10ની પરીક્ષા આપી રહ્યા છે. જ્યારે એક ત્રીજા કિસ્સા મા પણ એક મહીલા એ સાબિત કરી બતાવ્યુ છે કે ભણવા અને શિખવા માટે ની કોઈ ઉમર નથી હોતી જેમા 27 વર્ષિય મમતા મેન ગૌસ્વામી એ પરીક્ષા આપી હતી તેવો એ એક દાયકા બાદ પરીક્ષા આપી હરી કારણ કે તેમના સંતાનો ને અને અન્ય લોકો ને પ્રેરણા મળી રહે કે ભણવાની કોઈ ઉમર નથી હોતી.