Gujarat

“ડાયરા સમ્રાટ” કિર્તીદાન ગઢવીએ ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમા બોલાવી ભજનની રમઝટ તો બાબા બાગેશ્વર પણ ખુશ થયા… જુઓ તસ્વીર

ગુજરાતના જાણીતા લોકગાયક કિર્તીદાન ગઢવીએ ગત તાજેતરમાં મધ્યપ્રદેશના છતરપુર ખાતે આવેલા ગઢડામાં ભજન સંધ્યામાં ભાગ લીધો હતો. આ ભજન સંધ્યામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી. ભક્તોની ભારે ઉપસ્થિતિ વાળા આ કાર્યક્રમમાં કિર્તીદાન ગઢવીએ ભજનો અને કીર્તન ગાઈને ભક્તોને ભક્તિમય વાતાવરણમાં લીન કરી દીધા હતા.

 

કાર્યક્રમ દરમ્યાન કિર્તીદાન ગઢવીએ “રામ આયેંગે” ભજન ગાઈને ભક્તોને ઝૂમવા મજબુર કરી દીધા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રીએ પણ ભક્તોને સંબોધિત કરીને પ્રેરણાત્મક વાતો કરી હતી. કાર્યક્રમના અંતે કિર્તીદાન ગઢવીએ ધીરેન્દ્ર શાસ્ત્રીના આશીર્વાદ લીધા હતા. આ ભજન સંધ્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો કિર્તીદાન ગઢવી અને ધીરેન્દ્ર શાસ્ત્રીની ભક્તિમય ઉપસ્થિતિની પ્રશંસા કરી રહ્યા છે.


ખરેખર ધીરેન્દ્રશાસ્ત્રીજીને કિર્તીદાન ગઢવું પ્રત્યે ખુબ જ પ્રેમભાવ છે, તેમજ કિર્તીદાન ગઢવી પણ બાગેશ્વર ધામ પ્રત્યે અતૂટ શ્રદ્ધા અને શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રીજી પ્રત્યે પણ ખુબ જ આસ્થા ધરાવે છે. ગુજરાતમાં જ્યારે સૌ પ્રથમવાર ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં કિર્તીદાન ગઢવીએ ભજન, કીર્તન કરેલ બસ ત્યારથી જ ધીરેન્દ્ર શાસ્ત્રીને કિર્તીદાન ગઢવી પ્રત્યે અતૂટ સંબંધ બંધાઈ ગયો હતો. કિર્તીદાન ગઢવીને બાગેશ્વર ધામમાં લોક ડાયરા માટે આમંત્રણ પણ આપેલું અને કિર્તીદાન ગઢવીએ બાલાજીના સાનિધ્યમાં ભજન અને ભક્તિમાં સૌને લીન કર્યા હતા.


હાલમાં તો કિર્તીદાન ગઢવીનો ગઢડા ખાતે યોજાયેલ ભજન સંધ્યાનો વિડીયો સૌ કોઈને પસંદ આવી રહ્યો છે કારણ કે મધ્યપ્રદેશના લોકોને પણ ભક્તિમાં લિન કર્યા હતા, નીચે આપેલ વિડીયો દ્વારા તમે આ ભજનસંધ્યા નિહાળી શકશો.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!