અમદાવાદ-મુંબઈ હાઇવે પર કાર બેકાબુ થતા થયું દર્દનાક અકસ્માત બે લોકો ના કરુણ મોત નીપજ્યાં…
હાલના સમયમાં એક પછી એક અકસ્માત ની ઘટના બની રહી છે, એક એવી દર્દનાક ઘટના બને છે કે જોઇને પણ આપણા રુવાડા ઉભા થઇ જાય છે, તેવીજ એક ઘટના અમદાવાદ –મુંબઈ હાઇવે પર ખેડા નજીક બની હતી, ઘટના ની વાત કરીએ તો અમદાવાદ મુંબઈ હાઇવે પર ખેડા નજીક એક કાર બેકાબુ થતા ડિવાઈડર સાથે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે જ મૃત્યુ થયા અને એની સાથે રહેલ બીજા બે વ્યક્તિ ને ગંભીર ઈજા થઇ હતી.
મળતી માહિતી અનુસાર આ ઘટના ખેડા નજીકથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે નં-૪૮ પર વાત્રક બ્રીજ પાસે આજના સુમારે સવારે વડોદરા જતી કાર જેનો નં( GJ 13 NN 3724) નાં ચાલક નું અચાનક પોતાના સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા આ કાર સીધી હાઇવે ના ડિવાઈડર સાથે અથડાતા આ દર્દનાક અકસ્માત થયો હતો. જેમાં બેસેલા ચાર વ્યક્તિઓ પૈકી ૧ વ્યક્તિ નું ઘટના સ્થળે અને બીજી વ્યક્તિ ને ઈજા થતા સારવાર હેઠળ લઇ જતા પહેલા મૃત્યુ થયું હતું, અને બીજા બે વ્યક્તિઓ ને સારવાર માટે ત્યાની હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ કાર ખુબજ સ્પીડ માં હોવાનું સાબિત થતું હતું, કારમાં સવાર કે જેમાં બે મહિલા અને બે પુરુષો બેઠા હતા. જેમાં કારમાં સવાર ઉદય મુકુન્દભાઈ રાવલનું ત્યાં ઘટના સ્થળે જ મોત થયું હતું, અને તેની સાથે એક અન્ય વ્યક્તિ નું સારવાર મળે તેને તે પહેલા મોત થયું હતું. આ સિવાય વાત કરીએ તો કારમાં બેસેલ આનંદી ઉદય રાવલ અને મેહુલ પ્રકાશ જોશી કે જેઓ ને ઈજાઓ થઇ હતી, તેમને તાત્કાલિક ધોરણે ખેડા ની સિવિલ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા. અને આ ઈજાગ્રસ્ત માંથી એકને ગંભીર ઈજા હોવાના કારણે તેને અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટના ની જાણ થતા ખેડા ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને પોલીસે આવી આ ફરિયાદ ના આધારે ગુનો નોંધી તે અંગેની તપાસ હાથ ધરી હતી. અને પોલીસ ને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ કાર સુરેન્દ્રનગર જીલ્લાના પાર્સીંગ ની હોવાથી અને તેમને ઘટના સ્થળ પરથી લાઇસન્સ મળતા તેમણે જાણવા મળ્યું હતું કે આ લોકો સુરેન્દ્રનગર ના વતની છે. અને આ તમામ લોકો સુરેન્દ્રનગર થી વડોદરા તરફ જતા હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. અને આ અકસ્માત અંગેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.