Gujarat

ટ્રક અને કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો કાર ના કુરચા ઉડી ગયા અને ત્રણ મહિલા..

અકસ્માત દુર્ઘટના નું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે, લોકોની વધતી જતી ઉતાવળ લોકોને ખુબજ મોંઘી પડે છે, તેવું આ બનતી દુર્ઘટનાઓ થી સાબિત થઇ રહ્યું છે, લોકોને એવી તો શું ઉતાવળ વધી ગઈ છે, કે તે પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દે છે, કહેવાય છે ને કોઈક જગ્યાએ મોડું પહોંચવું સારું પણ સાવ ન પહોંચવું તેનું ધ્યાન રાખવું. તેવીજ એક કરુણાતીકા દુર્ઘટના ભુજ તાલુકાના માનકુવા-સુખપર વચ્ચે બની હતી.

ઘટના ની વાત કરીએ તો ભુજ તાલુકાના માનકુવા-સુખપર વચ્ચે સ્કોર્પિયો અને ટ્રક વચ્ચે ખુબજ દર્દનાક અકસ્માત સર્જાયો હતો, જેમાં સ્કોર્પિયો ના બુકડા બોલી ગયા હતા, અને તેમાં સવાર ત્રણ મહિલાઓના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા. આ અંગે મળતી માહિતી અનુસાર સુખપર ગામે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં શાકોત્સવ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. તેથી ભારાસર ગામના સ્વામિનારાયણ મંદિરના સંખ્યાયોગી ફઈ તેમજ ત્યાના સત્સંગી મહિલાઓ ભારાસર થી સુખપર ગામે આ શાકોત્સવ પ્રસંગ માં હાજરી આપી તેમના ગામ ભારાસર પાછા આવતા હતા, તે દરમિયાન આ દુર્ઘટના સર્જાય હતી.

આ મહિલાઓ પરત આવતા સમયે આ તમામ મહિલાઓ સ્કોર્પિયો માં બેસેલી હતી, ત્યાં અચાનક એક ટ્રક કાળ બની આવતો હોઈ તેમ આ સ્કોર્પિયો સાથે ધડાકાભેર અથડાયો હતો, અને એવી રીતે અથડાયો કે સ્કોર્પિયો ના બુકડા બોલી ગયા હતા. અને ટ્રક ધોરીમાર્ગ પરથી બાજુના ડિવાઈડર પર ઉતરી ગઈ હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના માનકુવા ગામથી ભુજ તરફ આવતા માર્ગ પર મોડી રાત્રે ૯:૩૦ કલાકે  બની હતી.

આ સ્કોર્પિયો અથડાતા સંખ્યા યોગી ફઈ સહીત તેની સાથે સત્સંગ માં આવેલ ત્રણ મહિલાઓના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા, અને એક મહિલા કે જેણે ગંભીર ઈજાઓ થતા તેને સારવાર માટે તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટના ની જાણ થતા માનકુવા પોલીસ મથકના પી.આઈ વાય.પી જાડેજા ઘટના સ્થળે પહોંચી, આગળની તપાસ હાથ ધરી હતી. માનકુવા પાસે આ કરુણ ઘટના બનતા ત્રણ લોકોના મૃત્યુ થતા ચોવીસી ગામો તેમજ સ્વામિનારાયણ સત્સંગી ના અનુયાયી ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!