ચંગેઝ ખાન નહિ ! આ હતો દુનિયાનો સૌથી ક્રૂર શાશક જે જીવતા લોકોને
આપણા વિશ્વનો ઈતિહાસ ખુબજ ઉચ્ચ છે, જે આપણે સૌ જાણીએ છીએ, ઘણા બધા શાશકોએ પોતાના શાસન અને વર્ચસ્વ નાં કારણે પ્રખ્યાત થયા છે, અને હજુ સુધી તેના નામનો જયજયકાર થાય છે. અને ઘણા ચંગીઝ ખાનની જેમ એવા શાશકો પણ થઇ ચુક્યા છે, કે જે પોતાના જુસ્સા અને ક્રુરતા ના કારણે જાણીતા થયા છે, તેવાજ એક આજે ચંગીઝ ખાન જેવા શાશકની આજે વાત કરવાની છે, કે જે જીવતા લોકોને મીનારમાં ચણી લીધા હતા.
વાત કરીએ તો ઇતિહાસના પન્ના માં તૈમુર જુલમ ની ઘણી બધી કહાનીઓ છે, કે જે ચોક્વનારી છે. તૈમુર નો જન્મ ૧૩૩૬ માં સમરકંદમાં થયો હતો કે જે હવે ઉઝબેકિસ્તાન તરીકે ઓળખાય છે. તૈમુર એક સામાન્ય પરિવાર નો હતો, પણ તે મધ્ય એશિયાના પર્વતો અને મેદાનોમાં ઘેટાની ચોરી કરતો હતો. તૈમુર નું બાળપણ થી એક સપનું હતું કે તે ચંગીઝ ખાન ની જેમ એશિયા અને યુરોપ ને પોતાના નિયંત્રિત કરવા માંગતો હતો એમજ તૈમુર સમગ્ર વિશ્વ ને એક સામ્રાજ્ય માં બાંધવા માંગતો હતો. તૈમુર કોઈ શાહી પરિવાર માંથી ન હતો, તો પણ તેની પાસે ચંગીઝ અને સિકન્દર જેવા ખૂંખાર સૈનિકો હતા. તેને એક ખતરનાક સેના બનાવી હતી.
તૈમુર ની એક નકારાત્મક પાસું એ હતું કે તે ફેફસાની અક્ષમતાથી પીડિત હતો, અને એવું કહેવાય છે કે તૈમુર ના શરીર ની જમણી બાજુ તેની યુવાનીમાં એક અકસ્માતમાં તે ખરાબ રીતે ઘાયલ થયો હતો. તેથી તેનું નામ તૈમુર રાખવામાં આવ્યું હતું. જેનો અર્થ થાય છે લોખંડ. કહેવાય છે કે એ અકસ્માત બાદ તે અશક્ત થઇ ગયો હતો. તેની વિકલાંગતા તેની નબળાઈ બની ગઈ હતી. તેથી લોકો તેને મજાક માં તૈમુર-એ-લાંગ ના નામથી બોલવવા લાગ્યા, તો પણ તે એક હાથથી તલવાર અને ઘોડેસવારી અને તીરંદાજી કરવામાં સક્ષમ હતો.
તૈમુર લેંગ ને ઈતિહાસ ના પન્ના માં લોહિયાળ યોદ્ધા તરીકે ઓળખવામાં આવ્યો છે, કારણ કે તેણે ૧૪ મી સદીમાં ઘણા દેશોને પોતાના નિયંત્રણ હેઠળ લીધા હતા, અને તેનો એક અજીબ શોખ હતો, જે જાણી તામને ખુબજ નવાઈ લાગશે, તે તેના દુશ્મનો ના માથા કાપીને સાચવી રાખતો હતો, અને મળતી માહિતી અનુસાર તૈમુર લગભગ બે હજાર જીવંત લોકોનો એક ટાવર બનાવ્યો હતો, અને ઇંટો અને મોર્ટારથી ઈલેક્ટ્રીફાઈડ કરાવ્યો હતો. આનાથી આપણને અંદાજો આવે છે, કે તૈમુર કેટલો ક્રૂર હતો. અને તેમના વિષે એવું પણ કહેવાય છે કે, તેઓ સિકંદર અને ચંગેઝ ખાન કરતા ઘણી રીતે આગળ હતો.