Gujarat

વડોદરા : 15 વર્ષના કિશોરનો કૂતરાને બાંધવના બેલ્ટ અને પંખા સાથે લટકતો મૃતદેહ મળી આવ્યો ! માતા એ રડતા રડતા કહ્યુ ” મારા દીકરા ને ખુબ મારતા…

હત્યાના અનેક બનાવો સામે આવે છે, ત્યારે હાલમાં જ એક ઘાતકી અને ક્રૂરતા પૂર્વક બનાવ સામે આવ્યો છે. આ ઘટના અંગે જાણીને જ તમારું હૈયું કંપી જશે. આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ તો, આ ઘટના વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં સુબોધનગરમાં બની છે. 15 વર્ષના કિશોરનો કૂતરાને બાંધવના બેલ્ટ અને પંખા સાથે લટકતો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગયો છે અને મૃતક તરુણનીમાં ધૂસકે ધૂસકે રડી રહી છે. આ બનાવ અંગે મૃતકના પરિવારે હત્યાનો આક્ષેપ કર્યો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસને જાણવા મળ્યું હતું કે, માંજલપુર વિસ્તારમાં સુબોધનગરના એક મકાનમાં એક કિશોરે આત્મહત્યા કરી છે. પોલીસને કુતરાના બેલ્ટથી લટકતો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે લાશનો કબજો લઈને પોલીસે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલ. આ દરમિયાન પીડિત પરિવારે ઘરમાં તોડફોડ કરી હતી. પીડિત પરવારનુ ઘર નજીકમાં આવેલા ગોકુલનગરમાં છે. સુબોધનગર સ્થિત આ ઘરમાં દીપાબેન, રાજેશભાઈ અને ગગનભાઈ રહે છે અને તેઓ કિશોરને ત્રાસ આપતા હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે.

મૃતક કિશોરના માતા બિંદુબેને જણાવ્યું હતું કે, મારા છોકરાને ખવડાવી અને ચા પીવડાવીને મોકલ્યો હતો. મારા દીકરાને ખૂબ મારતા હતા. મારો છોકરો રોજ કહેતો હતો. અહીં તે બધુ કામ કરતો હતો. લોકડાઉનમાં મેં અહીં કામ કર્યું હતું. તેઓએ કોરોના કાળમાં મારું 4 લાખ રૂપિયાનું દેવુ ભર્યું હતું. તેઓએ વ્યાજ પણ ચડાવ્યું હતું. હવે 12 લાખ રૂપિયા થઈ ગયા હતા. ધીમે ધીમે મારા દીકરા પર હક કરી દીધો હતો. તેઓ કહેતા હતા કે, જ્યાં સુધી મારા રૂપિયા નહીં આપો ત્યાં સુધી આ છોકરો તમને નહીં મળે. પછી મારાથી સહન ન થયું, એટલે મેં મારું મકાન વેચવા કાઢ્યું હતું. એને મને કહ્યું હતું કે, 10 લાખ રૂપિયામાં ગ્રાહક છે. પછી મેં મારા માણસ પાસે સહીં કરાવી દીધી. પછી કહ્યું કે, 10 લાખ નહીં મળે.

આ ઘટના અંગે એ ચોંકાવાનરી વાત એ છે કે, જો વિપુલે આત્મહત્યા કરી હોત તો તેને પગ નીચે પડેલા ન હોત. કૂતરાના બેલ્ટથી એને મારી નાખવામાં આવ્યો છે. એને ત્રાસ આપેલો છે. દુઃખદ વાત એ છે કે, મૃતક વિપુલના પિતાને કેન્સરની બીમારી છે.  બેથી ત્રણ વર્ષથી કામ કરતા હતા.  આરોપીઓ રૂપિયા બાકી છે, ત્યાં સુધી અહીં કામ કરવુ પડશે. એવી રીતે માનસિક ત્રાસ આપીને કામ કરાવતા હતા.

પોલીસે જણાવેલ કે, 15 વર્ષના છોકરાએ પંખા વડે ગળે ફાંસો ખાધો છે. મૃતદેહને પોસ્ટરમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોસ્ટમોર્ટમ પછી જ વધારે માહિતી બહાર આવશે. FSLની ટીમે પણ તપાસ કરી છે, તેના રિપોર્ટના આધારે આગળની તપાસ કરવામાં આવશે. પરિવારજના આક્ષેપો પણ છે. તમામ બાબતની ન્યાયીક તપાસ થશે. મૃતકે દબાણમાં આવીને આત્મહત્યા કરી હશે તો તેની પણ કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!