Gujarat

મોટા ભાઇ લગ્ન ની કંકોત્રી વેચવા નીકળ્યા હતા ત્યા નાના ભાઈ વરરાજા ના મોત ના ખબર આવ્યા! વડોદરા ની આ ઘટના જાણી…

પ્રેમ લીધે અનેક એવા બનાવો બનતા હોય છે, જે ખૂબ જ ચોંકાવ દેનાય હોય છે. આપણે જાણીએ છે કે, અવારનવાર મીડિયા દ્વારા જાણવા મળે છે કે, પ્રેમ પ્રકરણનાં કારણે આત્મહત્યાના બનાવ બનતા હોય છે. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, મોટા ભાઇ લગ્ન ની કંકોત્રી વેચવા નીકળ્યા હતા, ત્યા જ નાના ભાઈ વરરાજા ના મોત ના ખબર આવ્યા! વડોદરા ની આ ઘટના જાણીને તમારું હદયકંપી જશે. આ ઘટના ખૂબ જ કરુણદાયક છે.

ચાલો ત્યારે અમે આપને આ ઘટના વિશે વધુ માહિતી આપીએ. હાલમાં વડોદરામાં અતિ કરુણદાયક ઘટના બની.બે પ્રેમી યુગલ જીવનભર સાથે રહેવા માટે સાથે ન નર્મદા કેનાલમાં કૂદીને પોતાનો જીવ ગુમાવ્યો. સૂત્ર દ્વારા મળેલ માહિતી દ્વારા જાણવા મળ્યું છે કે,એકબીજા સાથે હાથ બાંધેલા મૃતદેહો મળ્યા છે. આ સમગ્ર કિસ્સો પ્રેમ સાથે જોડાયેલ છે. યુવાનને પરિવારે શોધેલી યુવતી સાથે આગામી તા. 7 એપ્રિલે લગ્ન કરવા ન પડે એ માટે પોતાની પ્રેમિકા સાથે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું.દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ જાણવા મળ્યું કે, વાઘોડિયાના રાજપુરા નર્મદા કેનાલમા ઝંપલાવનાર પ્રેમી પંખીડામાં પ્રેમી યુવકના ભાઈએ જાણવાજોગ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પ્રવીણભાઇ રાઠવા (ઉં.35)એ જરોદ પોલીસ સ્ટેશનમાં પોતાના ભાઈ અન્ય કોઈ યુવતી સાથે રાજપુરા પાસે નર્મદા કેનાલમા ઝંપલાવ્યાની હકીકત જણાવી હતી.ખેતીવાડી કરી જીવન ગુજરાન ચલાવનાર આ પરિવારમાં 5 બહેન તથા ત્રણ ભાઇ છે, જેમાં સૌથી નાનો દિલીપ જે કુવારો હતો. તેના હાલમાં જ અમરાપુરાની યુવતી સાથે સગાઇ કરી હતી અને આ 7 એપ્રિલે તેના લગ્ન હતા, પરંતુ દિલીપનું મન અન્ય યુવતી માટે ધડકતું હતું.

એક તરફ ઘરમાં લગ્ન હોવાથી દિલીપના મોટા ભાઈ દિલીપના લગ્નની કંકોત્રી વહેંચવા નીકળ્યા હતા. તો બીજી તરફ દિલીપે ઘરમાં કોઈને પણ જાણ કર્યા વગર બાઇક પર પોતાની પ્રેમિકા ઊર્મિલાને બેસાડી રાજપુરા ગામે કેનાલ પાસે લઈ આવ્યો હતો અને પોતાનું જીવન ટૂંકાવી દીધું. ખરેખર લગ્નના માહોલમાં ગીતોના બદલે મોતના મરશિયા ગવાય. આ ઘટના ખૂબ જ દુઃખ દાયક છે. જીવનમાં પ્રેમ જ બધું નથી, એનાથી વિશેષ પરિવાર અને પોતાનું જીવન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!