Gujarat

પોતાના સંતાનના હત્યાના ગુનામાં જેલ ભોગવતી મહીલા એ પોતાને જ એવી સજા આપી કે

માણસ ક્યારેક એક ભૂલ કરી હોય તેનું પરિણામ ભવિષ્યમાં અનેક મુશ્કેલીઓનું કારણ બની શકે છે. ખરેખર આ વાત સત્ય છે. માણસ પોતાના જીવનમાં ક્યારેય આવેગ અને ગુસ્સામાં એવી પરિસ્થિતિમાં થી પસાર થઈ રહ્યો હોય ત્યારે ના કરવાનું કરી દે છે. ખરેખર આજે અમે આપને એક એવી માતા વિશે વાત કરીશું જેને પોતાના જ સંતાનોને મોતને ઘાટ ઉતારી દીધા હતા અને ત્યારબાદ તેને સજા મળતા પોતાનું જીવન એ ત્યજી દીધું છે. ચાલો અમે આપને આ કરુણદાયક ઘટના વિશે વિસ્તૃતમાં સમજાવીએ કે આખરે એવું તે શું ઘટના ઘટી હતી જેના પગલે આવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ.

હાલમાં જ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, ભાવનગર જિલ્લા જેલમાં કાચાં કામનાં કેદી તરીકે સજા કાપી રહેલી એક મહિલા કેદીએ જેલની બેરેકમાં સાડીનુ દોરડું બનાવી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ખરેખર જેલમાં રહેતા કેદીઓ પોતાનું જીવતર ટૂંકાવી દીધું હતું.તેની પાછળ ચોંકાવનારું કારણ એવું હતું કે, સૌ કોઈ ચોંકી ગયા હતા.અહેવાલો મુજબ જાણવા મળ્યું હતું.

ભાવનગર જિલ્લા જેલ કચેરીએથી જાણવા મળ્યું કે જિલ્લા જેલમાં કાચાં કામના કેદી તરીકે 33 વર્ષીય સુનિતા અજય મકવાણા નામની મહિલા સજા કાપી રહી હતી.મહિલાએ થોડા સમય પૂર્વે ઘરકંકાસને પગલે પોતાના સંતાનને રાજપરા-ખોડિયાર મંદિર સ્થિત તળાવમાં પોતાના સંતાનને ફેંકી ડુબાડી પોતે પણ પાણીમાં ઝંપલાવી આત્મહત્યાની કોશિષ કરી હતી, પરંતુ લોકોની સમયસૂચકતાથી આ મહિલા બચી ગઈ.આ ઘટનાને કારણે કોર્ટે મહિલાને જેલમાં મોકલી હતી.

આ દરમિયાન ગત રાત્રે કોઈ કારણોસર સાડીનુ દોરડું બનાવી. બેરેકની ગ્રીલ સાથે બાંધી ગળાફાંસો ખાઈ લેતા ગંભીર હાલતે સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબિબે મહિલા કેદીને તપાસી મૃત જાહેર કરવામાં આવેલ હતી.મહિલાના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો છે અને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. ખરેખર મૃતકની આત્માને શાંતિ મળે એજ ઈશ્વરને પ્રાર્થના કરીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!