Gujarat

સુરતમાં દીકરીના લગ્નના 15 દિવસ પેહલા જ પિતાએ જિંદગી ટૂંકાવી લીધી!! આત્મહત્યાનું કારણ જાણી તમારી આંખો નમ થશે..

ગુજરાતમાં આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે, ત્યારે હાલમાં જ એક વધુ એક બનાવ સામે આવ્યો છે. એક તરફ વ્હાલી દીકરીના લગ્નનો મંડપ રોપાયેલો હતો અને બીજી તરફ લગ્નના ગીતોના બદલે મોતના મરસીયા ગવાયા છે. આ બનાવ અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ તો સુરતમાં એક લાચાર પિતાએ જીવન ટૂંકાવ્યું છે.

દીકરીના કંકોત્રીઓ વહેંચાઈ ગઈ હતી અને પુત્રીના લગ્નના 15 દિવસ પહેલા પિતાએ આપઘાત કરી લીધો. આ દુઃખદ ઘટનાને કારણે એકની એક દીકરીના લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો. ઝી ન્યુઝના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું હતું કે, મૂળ મહારાષ્ટ્ર અને ઉમરવાડા વિસ્તારમાં રહેતા 35 વર્ષીય અનીશ શેખ અનીશ કેટરેર્સમાં રસોઈ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો અને પોતાની દીકરીના લગ્ન માટે પરિવાર પાસે રૂપિયા માગી લગ્નની તૈયારીઓ કરી હતી.

વધારે રૂપિયા માંગતા પરિવારજનોએ રૂપિયા આપવાની મનાઈ કરી હતી. જેથી અનીશ હતાશ થઈ ગયો હતો અને આ કારણે અનીશ ભાંગી પડ્યા હતા. મરૂપિયા ક્યાંથી લાવે તે ચિંતા તેમને સતાવતી હતી. આ ચિંતામાં જ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. પરિવારને જાણ થતાં સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે અનિશને મૃત જાહેર કર્યો હતો. આ દુઃખદ ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયેલ.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!