ધોળકીયા પરીવાર ના સામુહિક આપઘાત કેસ મા બે ની ધરપકડ કરાઈ ! એટલું ઊંચુ વ્યાજ વસુલતા કે…
વ્યાજખોરોનાં લીધે અનેક પરિવાર મોતને ભેટે છે. એકાદ મહિના પહેલા જ સોની પરિવાર દ્વારા સામૂહિક આપઘાત કર્યો હતો. આ કેસમાં હાલમાં એક નવો જ વળાંક આવ્યો છે. આ મામલે પોલીસે એક ટીઆરબી જવાન સહિત બે વ્યાજખોરોને ઝડપી પાડ્યા છે. આ વ્યાજખોરો 10 ટકાથી પણ વધુ વ્યાજ વસૂલતા હતા. ટ્રાફિક વોર્ડન ધર્મેશ સોલંકી અને પ્રહલાદસિંહ જાડેજાની પોલીસે ધરપકડ કરી છે.
આ કેસમાં હજુ પણ બે વ્યાજખોરો પોલીસ પકડથી દૂર હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. 22 દિવસ પહેલાં સોની દંપતી અને પુત્રએ વ્યાજખોરોનાં ત્રાસથી સામૂહિક આપઘાત કરી લીધો હતો. ત્યારે પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ તો યુનિવર્સિટી વિસ્તારમાં રહેતા અને ઝેરોક્ષની દુકાન ચલાવતા દંપતીએ પોતાના પુત્ર સાથે સામૂહિક આપઘાત કર્યો હતો.
આ પરિવારે વ્યાજખોરોનાં ત્રાસથી સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તેઓને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન પુત્ર ધવલની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે સંજયસિંહ ઝાલા અને ધવલ મુંધવા નામના શખસોની ધરપકડ કરી હતી. એ પછી પરિવારના સભ્યોનું વારાફરતી મોત થયું હતું.
વધુ બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. જેમાં ટીઆરબી જવાન ધર્મેશ સોલંકી અને પ્રહલાદસિંહ જાડેજાની ધરપકડ કરી હતી. જ્યારે પોલીસને કોલ ડિટેઈલના આધારે પોલીસે તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આરોપી વ્યાજખોરો 10 ટકાથી પણ વધુ વ્યાજ વસૂલ કરતા હતા. જો રુપિયા આપવમાં સહેજ પણ મોડુ થાય તો આરોપીઓ ધાકધમકી આપતા હતા.
આરોપી પ્રહલાદસિંહે પોલીસજણાવ્યું કે કરણ નામના શખસે એક વર્ષ પહેલાં મૃતક કિર્તિભાઈ ધોળકીયાને 10 વ્યાજે 46 હજાર રુપિયા આપ્યા હતા. જ્યારે પ્રહાલાદસિંહ જાડેજાએ એક વર્ષ પહેલાં 10 ટકાના વ્યાજે 70 હજાર રુપિયા આપ્યા હતા. એ પછી બંને નિયમિત રીતે કિર્તિભાઈ પાસેથી વ્યાજ વસૂલતા હતા. વ્યાજ ચૂકવી શકતા નહોતા. એટલે વ્યાજખોરોએ તેમને ધમકાવવાનું શરુ કર્યુ હતુ. જે બાદ પરિવારે આખરી નિર્ણય લીધો હતો. ત્યારે પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.