જો તમે પણ દિવાળી મા દીવ ફરવા જવાનો પ્લાન કરતા હોય તો આ સમાચાર ખાસ વાં…
દિવાળીનો રૂડો તહેવાર આવી ગયો છે, ત્યારે હવે સૌ કોઈ પરિવાર જનો સાથે ફરવા જવાનું વિચારી રહ્યા છે, ત્યારે અમે આપને જણાવવા માંગીએ છે કે, આ તહેવાર માં કયાંય પણ બહાર જતા પહેલ જો તમે પ્લાન કરતા હોય તો આ સમાચાર ખાસ જાણ વાંચજો! કારણ કે હાલમાં કોરોના બાદ ફરી એકવાર સામાન્ય પરિસ્થિતિ થઈ છે, ત્યારે ખાસ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. લોકડાઉન બાદ ફરી એકવાર જ્યારે લોકો તેમનું જીવન ફરી આંનદમ્ય બન્યું છે.
સૌરાષ્ટ્રમાંથી ફરવાના શોખીનો દિવાળીની રજામાં ફરવા માટે જાય છે. જે લોકો પાસે પોતાનું વાહન છે તેઓ શુક્રવાર રાતથી નીકળી પડ્યા છે. જ્યારે કેટલાક પરિવારો દિવાળીના તહેવાર ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. એવામાં જો દીવ ફરવાનો વિચાર હોય તો આને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. દીવમાં નાની હોટેલ્સમાં બુકિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે, જ્યારે મોટી હોટેલ્સ લિમિટેડ બુકિંગ લઈ રહ્યા છે.
વર્ષે કોરોનાને કારણે અને આ વખતે રજા હોવા છતાં દીવમાં પ્રવાસીઓ જોવા મળ્યા નથી. જેના કારણે નાની હોટેલ્સ અને રૂમવાળાએ બુકિંગ લેવાના બંધ કરી દીધા છે. બીજી તરફ ચેકિંગ અને વેક્સીનેશન સર્ટિફિકેટના ડરથી પ્રવાસીઓ અહીં આવવાનું ટાળે છે. ત્યારે આ વખતે તો દિવાળીમાં વધુ લોકો આવવાની શક્યતા વધુ છે. ત્યારે દિવ લોકો માટે ફરવાનું બેસ્ટ ડેશટીનેશન પ્લેસ બનશે
આ વખતે દિવાળી નાં તહેવાર ને લીધે તા.5 નવેમ્બરથી હોટેલ હાઉસફૂલ થવાની છે. દિવાળી પહેલા મોટી હોટેલ સિવાય ક્યાંય બુકિંગ અત્યારે નથી. સૌરાષ્ટ્રમાં મોટાભાગની વસ્તીનું વેક્સીનેશન થઈ ચૂક્યું છે. બીજી તરફ બીચ અત્યારે ખુલ્લા છે. પણ વોટર એક્ટિવિટી પ્રવાસીઓના ધસારાને ધ્યાને લઈ શરૂ થશે.નાગવા અનો ઘોઘલા પર બીચ એક્ટિવિટી કોવિડને કારણે બંધ કરી દેવામાં આવી છે. બીજી તરફ ભારે વરસાદને કારણે બોટિંગ પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. હોટેલ્સ અને અન્ય વેપારીઓને દિવાળી બાદ પ્રવાસીઓ આવે એવી પૂરી આશા છે.