India

લેડી ડોકટરે ગળાફાંસો ખાઈ ને આપઘાત કરી લીધો ! સ્યુસાઈડ નોટ મા જે લખ્યું એ વાંચી ને તમે..

ખરેખર આ સમાજમાં આખરે શું થઈ રહ્યું છે, એ સમજાતું નથી. હાલમાં જ લેડી ડોકટરે ગળાફાંસો ખાઈ ને આપઘાત કરી લીધો ! સ્યુસાઈડ નોટ મા જે લખ્યું એ વાંચી ને તમારું હદય દ્રવી ઉઠશે કે આખરે આવું કંઈ રીતે બની શકે છે. આજના સમયમાં દિવસે ને દીવસે આત્મહત્યાના બનાવો બની રહ્યા છે, ત્યારે આ ઘટના પણ સમાજના દરેક લોકો માટે ચેતવણીરૂપ સમાન કિસ્સો છે. આજમાં સમયમાં આપણે દિવસે ને દિવસે અનેક કારણોસર પોતાનો જીવ ગુમાવનાર વ્યક્તિની આત્મહત્યાનાં કારણો વિશે સાંભળતા હોઈએ છે.

હાલમાં જ એક એવી દુઃખ ઘટના બની કે, જેના વિશે સાંભલીને તમારી આંખોમાંથી આંસુઓ પણ વહી જાય.આ ઘટના બની છે, રાજસ્થાનમાં જ્યા દૌસા ખાતે સારવાર દરમિયાન પ્રસુતાનું મોત થયું હતું. આ જ કારણે આ મામલે લેડી ડોક્ટર અર્ચના શર્મા વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો તેમણે આત્મહત્યા કરી લીધી છે.રાજસ્થાનના ડોક્ટરો બુધવારે હડતાળ પર ઉતર્યા હતા. સૌથી મહત્વની વાત એ છે કે, તેમને ન્યાય અપાવવા માટે રાજસ્થાન ઉપરાંત દિલ્હીમાં પણ ડોક્ટરો કાળી પટ્ટી બાંધીને વિરોધ કરી રહ્યા છે.

મળેલી વિગતો મુજબ જાણવા મળ્યું હતું કે, 22 વર્ષની મહિલા આશા બૈરવા ડિલિવરી માટે હોસ્પિટલમાં આવી હતી પરંતુ વધુ પડતા રક્તસ્ત્રાવને કારણે તેની સારવાર ન થઈ શકી અને તેનો જીવ ગયો. આ જ કારણે સ્થાનિક કોંગ્રેસી નેતાઓના લીધે ડો. અર્ચના શર્મા સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો. આખરે પોલીસની હેરાનગતિથી પરેશાન મહિલા ડોક્ટરે આત્મહત્યા કરી લીધી હતી.

સુસાઈડ નોટમાં ડો.અર્ચના શર્માએ લખ્યું હતું કે, ‘મેં કોઈ ભૂલ નથી કરી, કોઈની હત્યા નથી કરી, PPH એક કોમ્પ્લીકેશન છે અને આ માટે ડોક્ટરોને હેરાન કરવાનું બંધ કરો.’ કૃપા કરીને મારા બાળકને માતાની કમી ન અનુભવવા દેતા. સુસાઈડ નોટ લખ્યા બાદ ડો.અર્ચના શર્માએ ગળેફાંસો ખાઈને પોતાનો જીવ આપી દીધો હતો.

હોસ્પિટલની બહાર પ્રસુતા અને નેતાઓના ધરણાથી પણ તે પરેશાન હતી. તે મામલે ઘણી વખત પોલીસને કહેવામાં આવ્યું હતું પરંતુ મદદ કરવાના બદલે પોલીસ ડોક્ટરને હેરાન કરતી હતી. ત્યારબાદ મહિલા ડોક્ટર અર્ચના શર્માએ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાથી રાજસ્થાનના ડોક્ટરોમાં નારાજગી વ્યાપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!