Gujarat

અમદાવાદમાં માતા-પુત્રીની હત્યાની ઘટનામાં થયો મોટો ધડાકો ! પિતાએ કહ્યું ‘મારી ભારતી દેખાવડી હતી, તેની સાથે….

અમદાવાદમાં એક ચોંકાવી દેતી ઘટના સામે આવી હતી જેમાં હોસ્પિટલમાં માતા-દીકરીનો મૃતદેહ શંકાસ્પદ રીતે મળી આવતા આસપાસના શહેરમાં ભારે અરેરાટી ફેલાય ગઈ હતી.એવામાં આ ઘટનાને ધ્યાનમાં લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં હોસ્પિટલના કંપાઉન્ડર પર શંકાના વાદળો છવાતા સ્થાનિક પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી અને કડક તપાસ કરી હતી. અમદાવાદ શહેરના ભુલાભાઇ ચાર રસ્તા પર આવેલ આ હોસ્પિટલ માંથી આ ડબલ મર્ડરની ઘટના સામે આવી હતી.

જ્યા કર્ણ હોસ્પિટલમાં ચંપાબેન અને તેમની દીકરી ભરતીબેનનો(ઉ.વ.35) નો મૃતદેહ મળી આવ્યો હતો, આ ઘટનાને લઈને તપાસમાં હોસ્પિટલના કંપાઉન્ડર એવા મનસુખ પર આ ડબલ મર્ડર કરવાનો આરોપ લાગ્યો હતો. રિપોર્ટ અનુસાર એવું જાણવા મળ્યું હતું કે મનસુખ સસ્તામાં ઓપરેશન કરવાની લાલચ આપીને વહેલી સવારે લોકોને બોલાવતો હતો, એવામાં વધુ તપાસ હાથ ધરતા હાલ ડબલ મર્ડર કેસમાં મોટો વળાંક આવ્યો હતો જેમાં મૃતકના પરિવારજનોએ એવો આક્ષેપ લગાવ્યો હતો કે મૃતક ભારતીબેન સાથે શારીરિક બળજબરીનો પ્રયાસ કરવામાં આવ્યો હશે.

આ ઘટનાને ધ્યાનમાં રાખીને મૃતક ચંપાબેનના ભાઈ પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે સવારે 9 વાગ્યાના રોજ મારી બહેન અને ભણી ભારતી હોસ્પિટલ ગયા હતા જ્યા હોસ્પિટલમાં તેઓની એન્ટ્રી થઇ ત્યાં સુધી જ સીસીટીવી શરૂ રાખવામાં આવ્યા હતા જે પછી 9:15થી10:30 સુધી સીસીટીવી કેમેરા બંધ કરી દેવામાં આવ્યા હતા. કેમેરા બંધ કરેલા આ સમયમાં જ હત્યાનો આ બનાવ બન્યો હતો, એવામાં પ્રવીણભાઈનો આરોપ છે કે તેઓની ભાણકી(મૃતક
ભારતીબેન) દેખાવડા હોવાને લીધે હત્યારાએ શારીરિક બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો.

એવામાં ભારતીએ આનો પડકાર કરતા હત્યારાએ તેને ઇન્જેક્શન મારીને ગળું દબાવી દીધું હશે. પ્રવીણભાઈએ ત્યાં સુધી કઈ દીધું કે ભારતીની શારીરિક રીતે બળજબરી થતા તેણે ચીખો પાડી હશે જે બાદ ચંપાબેન દોડી ગયા હશે જ્યા તેઓને ગળું દબાવી દેવામાં આવ્યું હશે જે બાદ બળજબરીથી મોઢા પર કાળા નિશાન પડી ગયા હશે. જણાવી દઈએ કે બંનેના મૃતદેહો પર કાળા રંગના નિશાનો જોવા મલ્યા હતા. દિવ્યભાસ્કરના એહવાલ અનુસાર સામે આવ્યું છે કે મૃતક ભારતીબેનનો પતિ લક્ષ્મણ સોલંકી સાથે ઝગડો થતા તે છેલ્લા બે મહિનાથી મોસાળમાં રહેતા હતા.

આ ઘટના અંગે મૃતક ભારતીબેનના પિતા અને ચંપાબેનના પિતા ગોવિંદભાઇએ દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેની પત્ની અને દીકરી ભારતીને કાનની તકલીફ હતી આથી તેઓ દવાખાને ગયા હતા, આ બાદ ચેક સાંજે 4 વાગ્યાના ટકોરે આ ઘટના અંગેની જાણ થઇ હતી.તેઓએ આગળ વાત જણાવતા કહ્યું હતું કે દીકરી પાસે રહેલ સ્માર્ટફોન અને તેનું પર્સ તથા દાગીના હજી સુધી મલ્યા નથી. હાલ તો આ પુરી ઘટનાને લઈને મૃતકના પરિવારે CBI તપાસની માંગ કરી છે, હવે આ હત્યા પ્રેમપ્રકરણને લીધે કરવામાં આવી છે કે બીજા કોઈ કારણને લીધે તે સંપૂર્ણ ખુલાસો તપાસ બાદ જ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!