India

હે ભગવાન કોઈ પિતાને આવો દિવસ નહીં બતાવતા ! આતંકી સાથેની મુઠભેડમાં શહિંદ થયા DSP હુમાયુ ભટ,પિતાએ વગર કોઈ આંસુએ પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ….

મિત્રો એક ખુબ જ દુઃખ ભર્યા સમાચાર હાલ સામે આવ્યા છે, તમને જણાવી દઈએ હાલ દક્ષિણ કશ્મીરના અનંતનાગ જિલ્લા ના કોકરનાગમાં આતંકી હુમલો થયો હતો જેમાં ભારતીય સેનાએ મુતોડ જવાબ આપ્યો હતો પરંતુ આ લડત અને લડતમાં જ ડીએસપી હુમાયુ ભટ આ જંગની અંદર શહીદ થયા હતા, આ ખબર તેમના પરિવારજનો સુધી પોંહચતા તેમના દરેક પરિવારજનો રડી રડીને ગાંડાતૂર થયા હતા,ખરેખર આ એક રડાવી દેતી જ ઘટના છે.

ડીએસપી હુમાયુ ભટ્ટના પાર્થિવ શરીરને પરિવારને સોંપવામાં આવે તેની પેહલા બુધવારના રોજ શ્રીનગર ખાતે તેમની પોલીસ સન્માન સાથે વિદાઈ આપવામાં આવી હતી જ્યા માહોલ ખુબ જ ભાવુક બન્યો હતો.આવી દુઃખદ ઘટનાને લઈને ચારેય તરફ સન્નાટો છવાય ગયો હતો, એવામાં શહીદ ડીએસપી હુમાયુ ભટને સૌ કોઈએ પુષ્પ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.એવામાં પૂર્વ આઈજીપી તથા શહીદ ડીએસપી હુમાયુ ભટના પિતા એવા ગુલામ હસન ભટે પણ પથ્થર દિલ રાખીને દીકરાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

ગુલામ હસન ભટ એક પિતા હોવાની સાથો સાથ પોતાની ફરજનો પણ નીષ્ટાપુર્વક કર્તવ્ય નિભાવ્યો હતો અને વગર કોઈ આંસુ બહાવે પોતે એક પૂર્વ પોલીસ અધિકારીની ફરજ બજાવતા શ્રદ્ધાંજલિ પાઠવી હતી,આવું દ્રશ્ય જોઈને ત્યાં ઉપસ્થિત તમામ લોકોના રૂવાંટા જ બેઠા થઇ ચુક્યા હતા કારણ કે સરળ વાત નથી કે કોઈ પિતા એવું નહિ વિચારે કે તેને હાથે દીકરાની શ્રદ્ધાંજલિ પાઠવાનો વારો આવે,એવામાં શહીદ ડીએસપી હુમાયુ ભટના પરિવારની મહિલાઓએ પણ હૈયાફાન્ટ આક્રન્દ કર્યું હતું.

પોલીસ બેડાએ શ્રદ્ધાંજલિ પાઠવ્યા બાદ શહિંદના પાર્થિવ શરીરને શ્રીનગર ખાતે આવેલ તેમના આવાસ પર લઇ જવામાં આવ્યો હતો જ્યા ભારે સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને ડીએસપી હુમાયુ ભટને શ્રદ્ધાંજલિ પાઠવી હતી, જાણવા મળ્યું છે કે હુમાયુ ભટનો પરિવાર દક્ષિણ કશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલમાં રહે છે, અને હજુ એક વર્ષ પેહલા જ હુમાયુ ભટના લગ્ન થયા હતા અને હાલ તેઓને એક સંતાન પણ છે જેણે પિતાની છત્રછાયા ગુમાવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!