દુલાભાઈ કાગનીવાણી આજે આપણા માટે અમૃત સમાન! એ વેણ આજે સાચા પડ્યા છે…
સોરઠનું અમૂલ્ય રત્ન એટલે દુલાભાઇ કાગ જેમેણે મુખ્યત્વે હિન્દુ ધર્મ સાથે સંબંધિત આધ્યાત્મિક કવિતા માટે જાણીતા છે. વર્ષ ૧૯૬૨ માં તેમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે ચારણી ભાષાના માધ્યમથી દલિત, શોષિત, પીડિતોના દર્દને વાચા આપી હતી.દુલા ભાયા કાગની વાણી એટલે શબ્દો પણ ધન્ય બની જાય અને લોકહૈયામાં એવાં તો વસી જાય કે યુગોનાં બદલાતા પ્રવાહો અને પ્રચંડ પરિવર્તનો વચ્ચે પણ કંઠસ્થની પરંપરા ગ્રંથસ્થના સામર્થ્યને સહેજમાં હરાવી દે.ખરેખર તેમની વાણી આજના સમયમાં સૌ કોઈ માટે પ્રેરણા રૂપ છે. આજના સમયમાં તેમની વાણી સાચી પડે છે.
આ વાણી માત્ર તેમના શબ્દો ના હતા પણ એમના વેણ આજે પણ સાચા પડ્યા છે. દુલા કાગની વાણી એટલે આજના પેઢી માટે અમૂલ્ય ભેટ. દુલા ભાયા કાગ ગુજરાતી સાહિત્ય ના તળપદી ભાષાના ઉત્તમ સાહિત્યકાર હતા.કબીરજી ના દોહા જેમ કબીરવાણી તરીકે ઑળખાય છે તેમ દુલાજી ના દોહા કાગવાણી તરીકે ઑળખાય છે. કાગ એક સુંદર વાત કરી છે કે, લીંબડાનાં સર્વ અંગ કડવાં હોય છે. મૂળિયાથી એનાં ફળ (લીંબોળી) સુદ્ધાં કડવાં હોય છે. પણ એની છાંયડી ઠંડી અને મીઠી હોય છે.
એ કડવી લાગતી નથી. ખરાબમાં પણ એકાદ ગુણ સારો હોય છે.અંત:કરણમાં ઘાત (કપટ) હોય અને માણસ મોઢેથી મીઠી મીઠી વાતો કરતો હોય, પણ કુશળ અને ચતુર માણસના હૃદયની વાતને પણ તેની આંખો કહી દે છે, અર્થાત આંખમાં અંદરના મનનું પ્રતિબિંબ ઝબક્યા વિના નથી રહેતું. મારા ઘર આગળ એક તળાવડી છે. તેમાં ચોમાસે ઘણા દેડકા થાય છે. ત્યાં એક દેડકો ઠેકી ઠેકીને મચ્છરના ગોટામાંથી મચ્છર ગળતો હતો, ત્યાં પાછળથી મોટો જાંજડ (નાગ) આવ્યો અને તેણે દેડકાને પાછલા ભાગમાંથી પકડ્યો; છતાં દેડકો તો મચ્છર સામે ઠેકડા મારતો હતો.
સરપ દેડકાના અરધા શરીરને ગળી ગયો, ત્યાં સુધી તો દેડકો ઠેક્યો. દેડકાને છેવટ સુધી ખબર પડી નહિ કે મને પણ કાળે પકડ્યો છે. કાગવાણી અનુસાર બાળકોએ ક્યારેય પોતના શિક્ષણમાં ગૃહિણીએ ઘી બનાવતી સમયે અને ખેડૂતે ખેતી કરતી સમયે બીજે ક્યારેય કોઇ દિવસ ધ્યાન ભટકવું ન જોઈએ.એવો માણસ કે જેના પર અનેક માણસોનું દેવું હોય અને તેમ છતાં તે પોતાના મોજશોખ ઓછા કરવાને બદલે તેના પાછળ રૂપિયા ખર્ચ કરતો હોય તેની જોડે દોસ્તી કોઈ દિવસ પણ ન કરવી જોઈએ.
જુવાની ના સમય દરમિયાન હંમેશા સાવધ રહીને વર્તન કરવું. તેના પર જ તમારા આવનારા ભવિષ્યનો પાયો દેખાવા મળ્યો છે.થાકેલા માણસને દરરોજ રસ્તો વધુ પ્રમાણમાં લાંબો જોવા મળે છે તેવી જ રીતે નિરાશ માણસને પણ મંઝિલ ઘણી બધી મ દૂર લાગે છે, તો વળી અનિંદ્રાનો ભોગ બનેલી માણસને એક આખી રાત્રી પણ લાંબી લાગે છે.જો તમારું કોઈ દ્ઢ લક્ષ હોય પણ તમારો તે વાત પ્રત્યે કોઈપણ જાતનો ઉત્સાહ તથા પ્રેમ ન હોય તો સફળતા તમારાથી જોજનો દૂર રહે છે.
જો આવું જ વર્તન રાખવામાં આવે તો અંતર દિવસે દિવસે ઘટવાને બદલે હમેશા વધતું જાય છે.સજ્જન માણસની એક એ નિશાની હોય છે કે તે સારી વસ્તુને અપનાવે છે અને ખરાબ બાબતોને દૂર કરી નાખે છે. જ્યારે દુર્ગુણ માણસ તેની નજર સમક્ષ રહેલી સારી વસ્તુને નહીં પણ તેને અનુકુળ ખરાબ બાબતને અપનાવે છે જે તેને અધોગતિ તરફ લઈ જાય છે. ઉંટને ત્રણ વર્ષે, ઘોડાને પાંચ વર્ષે, યુવતીને તેર વર્ષે અને યુવકને 25 વર્ષે જુવાની આવે છે. દરેકનો સમય પહેલેથી જ નક્કી હોય છે.