Gujarat

તૌકતે વાવાઝોડામાં બાદ દ્વારકાધીશ મંદિર પર ફરી આ નજારો જોવા મળ્યો ! મંદિર પર ની ધજા…

હાલ મા ગુજરાત મા સોમાસું વ્યવસ્થિત બેસી ગયું છે અને ગુજરાત ના અનેક જિલ્લાઓ મા વરસાદ નોંધાયા છે ત્યારે હાલ સમગ્ર દ્વારકા જીલ્લા મા સારો એવો વરસાદ પડી રહ્યો છે અને ખાસ કરીને કલ્યાણપુરમાં 6.6 ઈંચ વરસાદ વરસ્યો છે ત્યારે સગ વિખ્યાત દ્વારકા ના દ્વારકાધીશ મંદિર ના શિખર પર ની ધજા ને અડધી કાઠીએ ફરકાવા મા આવી છે. આ નિર્ણય અબોટી બ્રાહ્મણ પરિવારની સુરક્ષા માટે આ નિર્ણય લીધો હતો. વાતાવરણ યોગ્ય ન થાય ત્યાં સુધી અડધી કાઠીએ ધજા ફરકાવાશે.

દ્વારકા મા મૂશળધાર વરસાદ ના કારણે જન જીવન પર ખાસ અસર પડી છે. જેમા ખાસ કરીને વાત કરીએ તો દ્વારકામાં 4 અને ખંભાળિયામાં 3 ઈંચ વરસાદ તૂટી પડ્યો છે.  આ ઉપરાંત અનેક નદી નાળા છલકાયા છે અને રાવલ-સુર્યાવદર વચ્ચેનો રસ્તો પાણીમાં ગરકાવ થતા બંધ થયો છે. સાની નદીમાં પૂર આવતા રસ્તાઓ બંધ થયા છે. લોકો જીવના જોખમે રસ્તાઓ પાર કરી રહ્યા છે.

હવામાન વિભાગ દ્વારા દ્વારકા જીલ્લા મા ભારે વરસાદ ની આગાહી કરવામા આવી છે. અને હાલ પણ સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે મંદીર પર ની ધજા અડધી કાઠીએ ફરકાવવા નો નિર્ણય લેવયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે મંદિર શિખર પર દરરોજ પાંચ 52 ગજની ધજા ચડાવવામાં આવે છે. પરંતુ આજે અવિરત વરસાદને પગલે અડધી કાઠીએ ધજા ચડાવવામાં આવી હતી. આ ઉપરાંત એક વર્ષ અગાઉ તૌકતે વાવાઝોડામાં દ્વારકાધીશ મંદિરે અડધી કાઠીએ ધજા ચડાવવામાં આવી હતી. ત્યારબાદ આજે ફરી વખત દ્વારકાધીશ મંદિર પર અડધી કાઢીએ ધજા ફરકાવવામાં આવી છે.

દ્વારકાધીશ ના પર ચડાવવા મા આવતી 52 ગજ ની ધજા ચઢાવવા ટાછળ પણ એક ખાસ માન્યતા છે. જેમા 12 રાશિ, 27 નક્ષત્ર, 10 દિશા, સૂર્ય, ચંદ્ર અને શ્રી દ્વારકાધીશ સહિત 52 થાય છે. એટલે 52 ગજની ધજા ચડાવાય છે.આ ઉપરાંત ધજા ચઢાવવા પાછળ પણ અનેક માન્યતા ઓ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!