અમરેલી ના દુધાળા ગામ મા અરેરાટી મચી ગઈ ! નારણ સુરોવર મા એક સાથે પાંચ બાળકો ડુબી જવાથી…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આ પૃથ્વી પર જન્મ લેનાર દરેક વ્યક્તિ ની મૃત્ય નિશ્ચિત છે છતા પણ આપણે જયારે પોતાના કોઈ સ્નેહી જનની મૃત્યુ ની ખબર મેળવીએ ત્યારે આપણે દુખી થઇ જઈએ છીએ અને ઉદાસ થઇ જઈએ છે જેમના ઘરે આવો દુખદ બનાવ બન્યો હોઈ તેમના પર તો જાણે દુખોનો પહાડ તૂટી પડ્યો હોઈ તેમ લાગે છે આપણે સૌ જાણીએ છીએ કે મૃત્યુ નિશ્ચિત છે પરંતુ કોનું મૃત્યુ ક્યારે ક્યાં કેવી રીતે થશે તેને લઈને કોઈ જાણકારી નથી.
ઘણી વખત ક્ષણ વારમાં આપણી સાથે રહેલ વ્યક્તિની મૃત્યુની ખબર પણ આવે છે જેને જાણીને આપણે પણ હેરાન થઇ જઈએ છીએ હાલમાં પરિવાર માં મૃત્યુ ના કારણે હસતો રમતો પરિવાર તૂટી જાય છે આમતો કોઈ પણ વ્યક્તિ ની મૃત્યુ ના કારણે દુઃખ થાય છે પરંતુ જયારે પરિવાર માં કોઈ બાળક નું મૃત્યુ થાય ત્યારે સૌથી વધુ દુઃખ થાય છે કારણ કે બાળકે હજુ જીવન જીવવાનું શરુ કર્યું હોઈ ત્યાજ મૃત્યુના કારણે સૌકોઈ દુખી થઇ જાય છે તેવામાં જો એક જ પરિવાર ના એકથી વધુ બાળકો મૃત્યુ પામે તો ?
આવી ઘટના અંગે વિચાર કરીને પણ આપણે ડર લાગે છે આવા સંજોગોમાં પરિવાર પાસે રડવાના પણ આશુ રહેતા નથી હાલમાં આવોજ એક દુખદ બનાવ સામે આવ્યો છે જેને જાણીને ભાલ ભલો વ્યક્તિ પણ વિચલિત થઇ જાય કે જ્યાં એક સાથે પાંચ યુવકના મૃત્યુથી આખા વિસ્તાર માં શોકનો માહોલ છે જયારે પરિવાર નો રડવાથી ઘણોજ ખરાબ હાલ છે આ દુખદ બનાવ અંગે વિગતો આ પ્રમણે છે.
મળતી માહિતી અનુસાર આ ઘટના અમરેલી જીલ્લાના લાઠી નજીક આવેલા દુધાળા ગામની છે જણાવી દઈએ કે અહી આવેલા નારાયણ સરોવરમાં એક સાથે ૫ કિશોરો નવા ગયા હતા પરંતુ ઘણો સમય વીતી ગયા છતા પણ જયારે કિશોરો ઘરે પરત ના ફર્યા ત્યારે પરિવાર ને ચિંતા થઇ જે બાદ 5 કિશોરો ડૂબ્યા હોવાની આશંકા જતા સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા બચાવ કામગીરી શરુ કરવામાં આવી અને તરવૈયાઓ ની ટીમ દ્વારા સરોવરમાં કિશોરો ની સોધવાનું શરુ કરવામાં આવ્યું જે બાદ પાંચેય કિશોરોના મૃતદેહ મળી આવતા આખા પંથક માં દુઃખનો માહોલ છવાઈ ગયો.
જો વાત મૃત્યુ પામેલા યુવકો અંગે કરીએ તો જણાવી દઈએ કે આ પાંચેય યુવકો લાઠી શહેરના રહેવાસી હતા જેમના નામ આ પ્રમાણે છે વિશાલભાઈ મનીષભાઈ મેર (16) નમનભાઈ અજયભાઇ ડાભી (16) રાહુલભાઈ પ્રિવીણભાઈ જાદવ (16) મિત ભાવેશભાઈ ગળથીયા (17) હરેશભાઇ મથુરભાઈ મોરી (18)