ગાંધીનગરમાં એક પિતાએ પોતાના બે કુમળા બાળકો સાથે કેનાલમાં ઝંપલાવી મૌતની શરણાગતિ સ્વીકારી ! ‘મારી પત્નીએ..શું છે કારણ ?
ગુજરાત રાજ્યમાં જો છેલ્લા થોડાક સમયથી વાત કરવામાં આવે તો આત્મહત્યાના અનેક એવી ઘટનાઓ હાલ સામે આવી રહી છે જેમાં કોઈને કોઈ કારણોને લીધે લોકો પોતાના જીવનથી કંટાળીને અંતે આત્મહત્યા કરી લેતા હોય છે, એવામાં આપણા રાજ્યના પાટનગર એવા ગાંધીનગરમાંથી એક દિલ દેહલાવી દેતી એક ઘટના સામે આવી છે જેમાં એક આરોગ્યકર્મીએ પોતાના બે નાના એવા કમળ જેવા બાળકો સાથે કેનાલમાં ઝંપલાવીને મૌતને વ્હાલું કરી લીધું હતું. આ ઘટનામાં મૃતકે લખેલી એક સુસાઇડ નોટ પણ સામે આવી હતી જેમાં તેણે પોતાનું મૌતનું કારણ જણાવ્યું હતું.
જે બાળકોએ હજી દુનિયા જોવાનું શરૂ કર્યું હતું તેના અને પોતાના શ્વાસ એક ભગવાન જેવા પિતાએ કેમ રૂંધાવી દીધા? તો મિત્રો આ અંગે જાણવા મળ્યું છે કે આ યુવકે પોતાની પત્ની તથા સાસરિયાવાળાના ત્રાસથી આ આરોગ્ય કર્મીએ આત્મહત્યા કરી લીધું હોવાનું સામે આવ્યું છે.હાલ આવી સુસાઇડ નોટ સામે આવતા સ્થાનિક પોલીસે પત્ની તથા તેના પરિવારજનો વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. મૃતક યુવકે પોતાની સુસાઇડ નોટમાં પણ અનેક એવા મોટા મોટા ખુલાસા કર્યા હતા.
મરતા પેહલા મૃતકે પોતાના માતા-પિતા પાસે માફી માંગી હતી અને પોતાના મૃત્યુનો શોક પણ મનાવ્યો હતો, મૃતકે પોતાની પત્ની તેના સાસુ અને તેના સાળાએ તેને ત્રાસ કર્યો હોવાનું જણાવ્યું હતું એટલું જ નહીં તેઓએ આગળ એવું પણ કહ્યું હતું કે તેઓની પત્ની તથા સાસરિયાજનોએ તેઓને ગામ તથા કુટુંબ પણ છોડાવી દીધું હતું અને રોજબરોજ અનેક વખત તેની સાથે ઝગડાઓ કરતી હોય અને આ ઝગડા અંગે તે તેના ભાઈને જણાવી દેતી હતી જે બાદથી મૃતકનો સાળો તેને અવારનવાર ફોન દ્વારા કે રૂબરૂમાં મળીને ધાક ધમકી આપતો રહેતો હતો.
મૃતકે પોતાની સુસાઇડ નોટમાં પણ મોટો ખુલાસો કર્યો હતો કે તેનો સાળો અવારનવાર તેના પર ભરપણપોષણનો દાવો માંડવા જેવી અનેક મોટી ધમકીઓ આપતો હતો. દુઃખ ભર્યા શબ્દોમાં મૃતકે કહ્યું હતું કે તેને તેના સાસરિયા પક્ષ દ્વારા એટલો બધો ત્રાસ આપવામાં આવતો હતો કે તે પાનાનાના પાનાં ભરાય જાય. એવામાં મૃતકે એવી પણ વિનંતી કરી હતી કે તેના મૃત્યુ બાદ જો કોઈ રૂપિયા મળવાપાત્ર હોય તો તે તમામ રૂપિયાને મારા માતા-પિતાને આપવામાં આવે, જેના માટે થઈને તે આવું મોટું પગલું ભરે છે તેને તો આ પૈસા મળવા જ ના જોઈએ.
મૃતકે પોતાની આ સુસાઇડ નોટની અંદર પોતાના માતા-પિતા તથા મિત્રો પાસે માફી માંગી હતી,એટલું જ નહીં આગળ એમ પણ કહ્યુ હતું કે તેનો સાલો ફોનમાં કેહતો હતો કે તે એક તે જોરદાર ભુવો છે ઉડાડી દઈશ જીવતો નહીં મૂકે આ કારણને લીધે મૃતકે પોતાના પિતાને એવી આજીજી કરી હતી કે તેઓ આગળ કોઈ પ્રકારની કાર્યવાહી ના કરાવે કારણ કે તેમનું જવાનું હતું એ તો હવે વ્યુ જ ગયું છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.