Gujarat

સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશ ખબર આજ થી ચાલુ થઈ રોરો ફેરી સર્વિસ! જાણો સમય અને મુસાફરી ખર્ચ

સૌરાષ્ટ્ર અને ભાવનગર ને ખુબ ઉપયોગી પ્રોજેક્ટ રો રો ફેરી સર્વિસ છેલ્લા ત્રણેક મહીના બંધ હાલત મા હતી જેને લઈ ને એક મોટો નિર્ણય લેવામા આવ્યો છે જેને ફરી ચાલુ કરવામા આવી છે. આજથી શરુ થયો સતો ઘોઘા હજીરા રોરો ફેરી સર્વિસ ચાલુ થયા વેપારીઓ મા ઘણો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો રોરો ફરી સર્વિસ ફરી ચાલુ થતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે અવર જવર કરતા લોકો ને ફાયદો થશે.

દિવાળી નજીક આવી રહી છે ત્યારે સુરત અને અન્ય દક્ષીણ ગુજરાત ના શહેરો માથી સૌરાષ્ટ્ર તરફ આવતા લોકો ની અવર જવર વધશે અને રો રો ફેરી સર્વિસ નો લાભ લોકો લઈ શકશે ત્યારે આજે પ્રથમ ટ્રીપ મા દહેજ થી ઘોઘા 100 જેટલી કાર, ટ્રક અને ટુ વ્હીલર્સ સાથે લોકો ઘોઘા આવી પહોંચ્યા હતા. દહેજથી સવારે 9 વાગ્યે ઉપડેલું જહાજ ઘોઘા બપોરે 1 વાગ્યે આવી પહોંચ્યું હતું.

સામાન્ય રીતે જોઈએ તો 12 કલાંક ની મુસાફરી માત્ર 4 કલાંક મા કરી શકાય છે. રોરો ફેરી સર્વિસ મા કાર ,બાઈક અને ટ્રકો ને એક સાથે બીજા સ્થળે લઈ જવામાં આવે છે અને રો રો ફેરી સર્વિસ નો મુખ્ય ફાયદો એ છે કે રોડ અકસ્માત થી બચી શકાય છે ઉપરાંત 370 કિલો મીટર નુ અંતર 60 કી.મી જેટલું થઈ જાય છે જેના કારણ એક જ દિવસ મા ભાવનગર થી સુરત જઈ ને આવી શકાય છે.

ઘોઘા હજીરા ફેરી સર્વિસ નુ ઓનલાઈન બુકીંગ પણ www.dgseaconnect.com ની વેબ સાઈટ પર થી થય શકે છે. જો સમય ની વાત કરવામા આવે તો ઘોઘા થી બપોરે 3 વાગે હજીરા તરફ જઈ શકાય છે તો હજીરા થી ઘોઘો તરફ જવાનો સમય સવારે 8 વાગ્યા નો હોય છે. અને રો રો ફેરીમાં મુસાફરી માટે પ્રવાસીએ એક્ઝિક્યુટિવ ક્લાસના રૂ.625, બિઝનેસ ક્લાસના રૂ.825, બાઈકના રૂ.500, કારના રૂ.1400, બસના રૂ.5500, ટેમ્પો ના રૂ.4500 રૂપિયા ચૂકવવાના રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!