રબારી સમાજ મા માતમ છવાય ગયો ! દીકરી ગુમ થયા બાદ દીકરી ની લાશ એવી હાલત મા મળી આવી કે આખા ગામ મા ચકચાર મચી ગયો..જાણો વિગતે
રબારી સમાજ મા માતમ છવાય ગયો ! દીકરી ગુમ થયા બાદ દીકરી ની લાશ એવી હાલત મા મળી આવી કે આખા ગામ મા ચકચાર મચી ગયો. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, શંખેશ્વર તાલુકાના કુંવર ગામના તળાવમાંથી કહોવાઈ ગયેલી હાલતમાં યુવતીની લાશ મળતાં ચકચાર મચી હતી. આ વાત ગામમાં આગની જેમ પ્રસરતાં લોકોના ટોળા ઉમટી પડયાહતા..મૃતદેહનેપીએમ માટે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં મોકલી સત્ય જાણવા પ્રયાસ હાથ ધર્યા છે.
ઘટના અંગે વિગતવાર જાણીએ તો વઢીયાર પંથકમાં આવેલા શંખેશ્વર તાલુકાના કુંવર ગામમાં રહેતાં ભરતભાઈ જલાભાઈ રબારી ખેતમજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં પત્ની, માતા અને તેમની બહેન છે. ગત તા.3 ડિસેમ્બરે તેમની 18 વર્ષીય બહેન લાખુબેન રબારી ગામના તળાવે કપડાં ધોવા જવાનું કહીં નીકળી હતી. જો કે, બે- ત્રણ કલાક બાદ પણ તેણી પરત નહીં કરતાં પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી
. આ દરમિયાન તળાવ કિનારેથી લાખુબેનના ચપંલ, ધોવા લઇ ગયાં તે કપડાં મળી આવ્યા હતા. જો કે, તે સમયે લાખુબેનનો કોઈ પત્તો નહીં લાગતાં શંખેશ્વર પોલીસ મથકે ભરતભાઈ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. આ દરમિયાન 26મી ડિસેમ્બર તળાવમાં કહેવાયેલી હાલતમાં લાશ તરતી દેખાતાં ગામના આગેવાનોએ પોલીસને જાણ કરી હતી. પરિવારને બોલાવતાં પહેરેલા કપડાંના આધારે લાશ લાખુબેનની હોવાનું જણાઈ આવ્યું હતું. જેને પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
આ અંગે મૃતક યુવતી લાખુબેનના ભાઈ ભરતભાઈ જલાભાઈ રબારીએ જણાવ્યું હતું કે, મારી 18 વર્ષિય બહેન લાખુ તા.3 ડિસેમ્બરના રોજ બપોરના સમયે ગામમાં આવેલ તળાવે કપડાં ધોવા ગઈ હતી. જે ત્રણ કલાક બાદ પણ પરત ન આવતાં અમે લોકોએ તળાવમાં પણ શોધખોળ કરી હતી. કોઈ પત્તો નહીં લાગતાં સગા-સંબંધીઓને પણ જાણ કરી હતી. ડિસેમ્બર અમને ફરીયાદ મળતાં અમે સ્થાનિક તરવૈયાઓ મારફ્તે તળાવમાં તપાસ કરાવી હતી પરંતુ ગુમસુદા લાખુબેન મળી આવ્યા ન હતા. પીએમ બાદ વધુ માહિતી મળી શકશે.