સોનુ ખરીદવાનો ઉત્તમ સમય કયો?? જાણો શુ છે ભાવ અને…
હાલમાં દિવાળી નો પાવન તહેવાર આવ્યો છે, ત્યારે ખરેખર સૌ કોઈ લોકો ખરીદી કરી રહ્યા છે અને આ ઉત્સવની ઉજવણી કરી રહ્યાં છે, ત્યારે સૌથી વધુ જો ખરીદી કરવાનો શુભ અવસર હોય તો તે છે, સોનાની ખરીદી કરવી.ત્યારે ખરેખર હાલમાં સોનાની ખરીદી માટે ખૂબ જ સારો સમય છે અને અમે આપને જણાવીશું કે, હાલમાં સોનાનો બજારમાં ભાવ શું છે અને સોનાની ખરીદી માટે શું બાબત ધ્યાનમાં રાખવીએ જોઈએ.
હાલમાં જ સોનાની ખરીદી કરવાનો ખૂબ જ સારો સમય
છે. દેશભરમાં ધનતેરસના અવરસ પર આભૂષણ ખરીદવાનો રિવાજ પણ છે. એવામાં નિષ્ણાંતોના અનુસાર, ધનતેરસ સુધી સોના-ચાંદીની કિંમતોમાં વધારાનો સિલસિલો સતત જોવા મળી રહ્યો છે. ત્યારે દરેક ગૃહણીઓને માટે હાલનો સમય ખૂબ ક શ્રેષ્ઠ છે, ત્યારે ચાલો અમે જણાવીએ કે સોનાનો બજારમાં ભાવ શું છે.
સોનાના ભાવમાં 243 રૂપિયાનો વધારો ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશને જણાવ્યા અનુસાર, આજે એટલે કે 25 ઓક્ટોબરે સવારે 999 શુદ્ધતા વાળા 24 કેરેટ સોનાના ભાવમાં 243 રૂપિયા વધારો જોવા મળ્યો હતો. તેની સાથે જ 24 કેરેટ સોનાના રેટ વધીને 48048 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે. ત્યાં જ ચાંદીના ભાવમાં 438 રૂપિયા ઉછાળ આવ્યો છે. ચાંદી આજ સવારે મોંઘુ થઈને 65777 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયું છે.
999 શુદ્ધતા વાળા 24 કેરેટ સોનાના ભાવ 48048 પર બંધ થયા હતો. ત્યાં જ 999 શુદ્ધતા વાળા ચાંદીના ભાવ વધીને 65294 રૂપિયા પ્રતિકિલો નોંધવામાં આવ્યા હતા.જીવનમાં બચત કરવા માટે સોનાની ખરીદી કરવી જ જોઈએ. હાલમાં જ સોનાનાં ભાવ 50 થી નીચે આવ્યા છે. આ શુભ અવસરે તમારા પરિવારને ખુશ કરો અને તેમના માટે સોનાની ખરીદી કરો કારણ કે લોકો સોનાની ખરીદીને રોકાણ ગણે છે, જે જીવનના ગમે તે ખરાબ સમયે કામ આવે.