Gujarat

ગોંડલમા વધુ એક યુવનાએ આપઘાત કરી લીધો ! સ્યૂસાઇડ કરતા પહેલા પત્ની ને કીધુ કે ” sorry…

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે કોઈપણ શહેરમાંથી આપઘાતની ઘટનાઓ બહાર આવે છે, ત્યારે હાલમાં જ એક એવી ઘટના બની છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ગોંડલનાં વેરી તળાવમાં ઝંપલાવીને યુવકે આપઘાત કરી લીધો. આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ તો, ગોંડલ શહેરના જેતપુર રોડ પર સાંઢીયા પુલ પાસે આવેલ મોહનનગરમાં રહેતા અને માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્ટનું કામ કરતા ખુશાલ પરબતભાઈ નાકરાણી એ કોઈ અગમ્ય કારણોસર સોમવારના સાંજે વેરી તળાવમાં ઝંપલાવી આપઘાત કરેલ.

આ ઘટના અંગે પોલીસને જાણ કરતા જ ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી હતી. વેરી તળાવના પાણીમાંથી યુવાનના મૃતદેહને બહાર કાઢી પીએમ માટે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો.ખુશાલ નાકરાણીના આપઘાતના પગલે સરકારી દવાખાના ખાતે બહોળી સંખ્યામાં તેના સગા વહાલાઓ મિત્ર મંડળો એકઠા થઈ ગયા હતા.

છેલ્લા કેટલાક દિવસથી ખુશાલ આર્થિક સંકળામણ અનુભવી રહ્યો હતો અને આત્મહત્યા પહેલા પત્ની ફોનમાં સોરી કહ્યું હતું અને મિત્રો જોડે મોબાઈલ ફોનમાં વાત પણ કરી હતી. એક બે મિત્રોને એવો પણ ફોન કર્યો હતો કે વેરી તળાવે તેનું બાઈક બંધ પડી ગયું છે.એક બે મિત્રો વેરી તળાવે પહોંચ્યા હતા. ત્યારે ત્યાં માત્ર બાઈક અને મોબાઈલ જ પડ્યા હતા.

આ જોઈને મિત્રોને કંઈક અજુગતું થયું હોવાનો ભાસ થતાં અન્ય મિત્રો સગા વહાલાઓ અને પોલીસ ને જાણ કરી હતી. ખુશાલ નાકરાણીના લગ્ન અઢી મહિના પહેલા જ થયા હતા. તે બે ભાઈ અને બે બહેનના પરિવારમાં ઘરના આધાર સ્તંભ સમાન મોટા હતા અને બે બહેનોને સાસરે પણ વળાવી આપી છે ત્યારે અચાનક આવી દુઃખદ ઘટના બનતા શોકમય વાતાવરણ છવાઈ ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!