ગોંડલ ના આ મહારાજા એ કન્યાઓ માટે કર્યું તું એવું સરસ કામ કે ભારત ભર માં ચર્ચાઈ હતી આ વાત
આપણે સૌ કોઈ જાણીએ છે કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે તેમણે દીકરીઓ જીવનની સુરક્ષિત અને ઉજ્જળ બનાવવા માટે બેટી બચાવો, બેટી પઢાવોનું ઝુંબેશ ચલાવેલ અને એ યોજના દ્વારા આજે દરેક દીકરીઓ શિક્ષણ ક્ષેત્રમાં આગળ આવી છે અને સમાજમાં પોતાની નામના મેળવી તેમજ સમાજમાં તેમનું માન સન્માન મેળવ્યું. ખરેખર સ્ત્રીઓ માટે આ કાર્ય ખૂબ જ સરહાનીય હતું પરંતુ શું તમે જાણો છો કે, આ પહેલા સૌરાષ્ટ્રમાં એક મહાન રાજા એ કન્યા કેળવણી દ્વારા સ્ત્રીઓમાં ભવિષ્યને ઉજ્જળ બનાવેલ.
ચાલો અમે આપને જણાવીએ કે, કોણ હતા આ મહાન રાજા જેમણે અનેક સ્ત્રીઓનું જીવન ઉજ્જવળ બનાવ્યું. આ મહારાજ એટલે સૌરાષ્ટ્રમાં ગોંડલ નગરના મહારાજા ભગવતસિંહજીન જેઓ પ્રજાવત્સવ રાજા હતા અને તેમને આપેલ ભગવદ્ગોમંડલ ગુજરાતી શબ્દોનો ખજાનો છે.તેઓ શિક્ષણપ્રિય અને વિકાસલક્ષી વિચારધારા માટે ગોંડલમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં અને ભારતના નામના મેળવી.
ગોંડલના મહારાજ ઠાકોર સંગ્રામસિંહજીનાં રાણી મોંઘીબાની કૂખે ધોરાજી ખાતે ભગવતસિંહજીનો જન્મ થયો હતો. વર્ષ 1869માં સંગ્રામજીના મૃત્યુ પછી તેમના પુત્ર ભગવતસિંહજી ગાદીના પર આવ્યા ત્યારે તેમની ઉંમર ખાલી ચાર વર્ષ હતી.મહારાજે 60 વર્ષના શાસનને અંતે ગોંડલનાં 172 ગામોમાં તેમણે પ્રાથમિક શાળાઓ શરૂ કરાવેલ જેથી શિક્ષણની જ્યોય ચોરેતરફ ફેલાય અને બન્યું પણ એવું જ તેઓ શિક્ષણ ને જ વધારે પ્રાધાન્ય આપ્યું.માત્ર વિધાર્થીઓ માટે નહીં પરંતુ શિક્ષકો મળી રહે તે માટે તેમણે ગોંડલમાં અધ્યાપન મંદિર પણ શરૂ કર્યું હતું.
ગોંડલ, ધોરાજી અને ઉપલેટામાં બાલમંદિરો શરૂ કરાવેલ અને અંગ્રેજી શિક્ષણ આપવા માટેની શાળા શરૂ કરી. ભગવતસિંહજીએ 1895માં પાંચ લાખ રૂપિયાના ખર્ચે ગોંડલમાં ‘ગિરાસિયા કૉલેજ’ ની સ્થાપના કરી હતી. સૌથી મહત્વની વાત તો એ છે કે,ભગવતસિંહજી એમ માનતા હતા કે જ્યાં સુધી માતા બિનકેળવાયેલી રહે ત્યાં સુધી પ્રજામાં સંસ્કાર કે સંસ્કૃતિ તરફ અભિરુચિ થાય નહીં. તેથી જ તેમણે વર્ષ 1919માં ફરજિયાત કન્યાકેળવણી દાખલ કરી હતી.તરાજ્યમાં છોકરાં-છોકરીઓ બંને માટે અનિવાર્ય શિક્ષણ દાખલ કરીને આખા ભારતમાં પહેલો દાખલો બેસાડ્યો.