ગોંડલ : ટાયર ફાટતા એવો ભયંકર અકસ્માત સર્જાયો કે બે લોકો ના મોત અને બે…
રોજિંદા સમાચાર અને ટીવી માધ્યમ દ્વારા આપણે અનેક રોડ અકસ્તમાતના બનાવ બનતા હોય છે, ત્યારે હાલમાં જ એક દુઃખ ઘટના બની, જેના વિશે જાણીને તમારું પણ હૈયું દ્રવી ઉઠશે. ખરેખર આ ઘટના ખુબ જ ભયંકર હતી. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,ગોંડલ નજીક જ ટાયર ફાટતા એવો ભયંકર અકસ્માત સર્જાયો કે બે લોકો ના મોત અને બે અન્ય લોકો સાથે જે થયું,તેના વિશે જાણીને તમેં પણ ચિંતામાં મુકઈ જશો. ખરેખર આ ઘટના કંઈ રિરે બની અને આ ઘટનામાં કોનું કોનું મુત્યુ થયું તે અંગે સંપૂર્ણ માહિતી જાણીએ.
દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ જાણવા મળ્યું છે કે, હાલમાં જ એટલે કે આજે જ ગોંડલ નજીક એક પરિવારને કાળ ભરખી ગયો છે, આ રસ્તા પર જાને યમએ વાસ કર્યો હોય એવું લાગે છે,કારણ કે અહીંયા અવારનવાર અકસ્માતના બનાવ બને છે. સૂત્ર દ્વારા મળેલ માહિતી મુજબ ગોંડલ પાસે અકસ્માતનો વધુ એક બનાવ બન્યો હતો. આજે સવારે ગોંડલની મોટી ખિલોરી પ્રાથમિક શાળા પાસે બોલેરો અને અલ્ટો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 વ્યક્તિનાં મોત થયા છે, જ્યારે અન્ય 2 લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેને ગોંડલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છેહાલમાં બે વ્યક્તિઓની સારવાર ચાલુ છે, ત્યારે પ્રાર્થના કરીએ કે તેઓ જલ્દી સ્વસ્થ થઇ જાય.
મૃતકોની વિગત જાણીએ તો. આ બનાવમાં દેરડી કુંભાજીના ઉદાભાઈ શાકભાજીવાળાની GJ14X 9781 બોલેરો જીપ શાકભાજી ભરીને જઈ રહ્યાં હતા અને એવા જ સમયે મોટી ખીલોરી ગામની પ્રાથમિક શાળા પાસે જીપનું ટાયર ફાટ્યું હતું.આ કારણે ચાલકે કાબૂ ગુમાવતાં સામેથી આવી રહેલી અલ્ટો કાર GJ01KD 2755ને ધડાકાભેર અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં જેતપુરના થાણાગાલોળ ગામનાં જયાબેન ઉંધાડ (ઉં.વ. 71)નું મોત નીપજ્યું હતું.ખરેખર આ ઘટનાની જાણ થતા જ પરિવારજનોમાં દુઃખ વાતવરણ છવાઈ ગયું હતું.
જ્યારે ઉદાભાઈ અને રોહિતભાઈ ભીખુભાઇ પાઘડાળને ઇજા થતાં 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સની મદદથી ગોંડલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાદમાં ખાનગી હોસ્પિટલમાં લઈ જતી વેળાએ રોહિતભાઈનું પણ મોત નીપજ્યું હતું. બન્ને મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલે ખસેડાયા હતા. અકસ્માતના બનાવને પગલે તાલુકા પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી.આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે, મૃતકોની ની આત્માને શાંતિ એજ પ્રાર્થના. સૌથી મહત્વની વાત જાણવા મળી છે કે, અકસ્માતને લઈને માર્ગ પર સર્જાયાં ટ્રાફિકજામનાં દૃશ્યો અકસ્માત થતા બોલેરોચાલક અકસ્માત સ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતને લઈને માર્ગ પર ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયાં હતાં.હાલમાં તો આ ઘટના વિષે પોલીસ તપાસ ચાલુ છે,