ભયંકર અકસ્માત મા એક સાથે પરિવાર ના ચાર સભ્યો ના મોત થયા ! ટ્રક વાળાની નાની એવી ભુલ અને…
હાલ ના સમય મા અકસ્માત ની ઘટના ઓ સતત બની રહી છે ખાસ કરી ને હાઈ વે પર કોઈ સિગ્નંલ વગર જ ગાડી ઉભી રાખી દેતા બેદરકાર લોકો ના લીધે ઘણા અકસ્માતો બની રહ્યા છે ત્યારે ફરી એક એવી અકસ્માત ની દુખદ ઘટના સામે આવી છે જેમા ગોસ્વામી પરિવાર ના એક સાથે ચાર લોકો ના મોત થતા અરેરાટી મચી ગઈ હતી. જ્યારે હાલ ગોસ્વામી પરીવાર ના બે સભ્યો સારવાર હેઠળ છે.
ઘટના અંગે વિગતે વાત કરવા મા આવે તો નખત્રાણા નો રહેવાસી ગોસ્વામી પરિવાર આ અકસ્માત નો ભોગ બન્યો છે. આ પરિવાર ની બાળકીને ખેંચની બીમારી છે અને જેની માંડવીના ખાનગી તબીબની દવા ચાલુ છે. ત્યારે ગઈ કાલે બાળકી ને ખેંચ આવતા પરીવાર ના સભ્યો દ્વારા તાત્કાલિક કાર મારફત બાળકીના ઈલાજ માટે માંડવી જતા હતા. ત્યારે રોડ પર ઉભેલા ટ્રક સાથે કાર ની ટક્કર થતા ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમા પરિવાર ના ચાર લોકો ના કરુણ મોત થયા હતા.
જેમા સાસુ, વહુ, પૌત્ર અને દિયરનુ મોત થયુ હતુ જ્યારે જે બાળકી ની સારવાર માટે જતા હતા તે અને તેમના પિતા ચેતનભાઈ ગોસ્વામી ને ઈજાઓ પહોંચતા હાલ સારવાર માટે ખસેડવા મા આવ્યા છે. જો ચેતનભાઈ ની વાત કરવા મા આવે તો તેવો હોમગાર્ડ તરીકે નોકરી કરે છે. મૃતક મા કસ્તુરબેન દિનેશભારથી ગોસ્વામી (ઉં. વ. 53 વર્ષ) સંગીતાબેન ચેતનભારથી (ઉં વ. 25 વર્ષ ) પરેશભારથી બચુભારથી (ઉં વ. 50 વર્ષ) મનભારથી ચેતનભારથી (ઉં 3 વર્ષ) સામે આવ્યા હતા. જ્યારે હાલ આ ઘટના પગલે અરેરાટી મચી જવા પામી હતી
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.