Gujarat

જામનગરમાં વૈભવશાળી જીવન ત્યાગીને દાદા, પિતા અને પુત્ર એકી સાથે લેશે દીક્ષા, નીકળી ભવ્ય શોભાયાત્રા…જુઓ તસવીરો

આ જગતમાં સંસાર એ સુખ દુઃખનો દરિયો છે જીવનમાં સંસારમાં રહીને ભગવાન ભજવવા એ અતિ કઠિન છે એટલે જ વ્યક્તિ સંસારની મોહમાયા છોડીને સન્યાસી જીવન તથા ત્યાગી જીવન પસંદ કરે છે ઘણા એવા લોકો પણ આ દુનિયામાં થઈ ચૂક્યા છે અને એ પણ ચાલી પણ રહ્યા છે કે સંસારની મોહમાયા છોડીને પ્રભુ ભક્તિમાં લીન થવા માટે સંયમનો માર્ગ પસંદ કરે છે સંયમ જીવન જીવવાનું પસંદ કરે છે સંયમી જીવન એ પ્રભુને સમર્પિત જીવન છે.

 

 

 

આજે અમે આપને જામનગરનો જ આવો એક કિસ્સો જણાવીશું. એક જ પરિવારના ત્રણ ત્રણ લોકો એ પા ત્રણ પેઢી એ એક જ સાથે સંયમનો માર્ગ પસંદ કરીને સંસારનો ત્યાગ કર્યો. વાત જાણે એમ છે કે, જામનગરમાં જૈન સમાજના પહેલીવાર એક સાથે ત્રણ પેઢી એ દીક્ષા લીશે. વાત જાણે એમ છે કે, જામનગરમાં પિતા, પુત્ર અને દાદા એક સાથે આગામી 13મી માર્ચના રોજ દીક્ષા લેશે.

દીક્ષા પૂર્વે જામનગર શહેરમાં ભવ્ય વરઘોડો નીકળ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં શહેરભરમાંથી લોકો જોડાયા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે, 80 વર્ષના એન્જિનિયર અજીતભાઈ શાહ, તેમના 52 વર્ષના એન્જિનિયર પુત્ર કૌશિક શાહ તથા તેમના પૌત્ર વિરલ શાહ સી.એનો અભ્યાસ કરે છે.

તેમનો ભવ્ય દીક્ષા સમારોહ માટે આજે 11 માર્ચે જૂનાગઢ તળેટીમાં સ્નાત્ર મહોત્સવ યોજાશે. 12 માર્ચના સવારો સવારે શકસ્તવ મહાભિષેક યોજાશે, સાંજે બેઠું વરસીદાન સહિતના કાર્યક્રમો યોજાશે અને 13 માર્ચના રોજ દીક્ષા લેશે અને કાયમને માટે પ્રભુ માટે સમર્પિત થઈ જશે. ખરેખર આ એક ખૂબ જ ઉમદા નિર્ણય છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!