Gujarat

ગુજરાતના ડાયમંડ કીંગ ગોવિંદભાઈ ધોળકીયા એ રતન ટાટા સાહેબ ની મુલાકાત કરી ! સવજીભાઈ ધોળકીયાએ જણાવ્યુ કે ” હુ ભાગ્યશાળી છુ કે

દેશના બે મહાન અને સાદગીપૂર્ણ જીવન જીવનાર વ્યક્તિનો મેળાપ થયો છે. આપણે જાણીએ છે કે, ગોવિંદભાઈએ જીવનમાં ખૂબ જ સંઘર્ષ કરીને આગળ આવ્યા છે, એવી જ રીતે રતન ટાટા પણ પોતાની સંઘર્ષ યાત્રા માટે જાણીતા છે. ગોવિંદભાઈ ધોળકિયા એ રતન ટાટા સાથેની મુલાકાત અંગે જણાવ્યું કે, જ્યારે પણ હું રતનટાટાજીને મળું છું અને તેમની સાથે આટલી નજીકથી વાર્તાલાપ કરવા બદલ મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી અને ધન્ય માનું છું. હંમેશા ખૂબ જ નમ્ર અનુભવ છે.

ગોવિંદભાઈ રતન ટાટા વિશે કહ્યું કે, તમે ભારતના આત્મા છો- ખરેખર મહાન દેશભક્ત અને આધુનિક યુગના સાહસિકો માટે પ્રેરણારૂપ છો. હું એ હકીકતની પ્રશંસા કરું છું કે અમારી મૂળભૂત માન્યતાઓ અને પાયા એકદમ સમાન છે.જેમ ટાટા કંપની આપણા રાષ્ટ્રમાં એક જાણીતું નામ છે. શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટએ હીરા ઉદ્યોગમાં ટ્રસ્ટ, પારદર્શિતા, પ્રામાણિકતા અને અખંડિતતાના મૂલ્યો માટે જાણીતું છે જે અમે તમારી પાસેથી સારી રીતે આત્મસાત કર્યું છે.

અમારી ગઈકાલની મીટિંગની પ્રશંસા કરતી વખતે, હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તે તમારી યાત્રામાં તમારી સાથે રહે અને તમને શક્તિ, આરોગ્ય અને અપાર ખુશી આપે જેના તમે લાયક છો. ભગવાન તમારા જેવા ઘણા વધુ પ્રેરણાત્મક આત્માઓનું સર્જન કરે જે વિશ્વને રહેવા માટે વધુ સારું સ્થાન બનાવવામાં મદદ કરે.

ખરેખર એ વાત સાચી છે કે, રતન ટાટા પાસે અબજોની સંપત્તિ હોવા છતાં પણ સાદગીપણુ જીવન જીવે છે અને અવિરતપણે દાન કરતા રહે રહે છે. એજ રીતે ગોવિંદભાઈ પણ પોતાનું જીવન સાદગી રીતે જીવીને અનેક લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે. જ્યારે આ બે વ્યક્તિઓ એક સાથે મળ્યા છે, ત્યારે અનેક લોકો માટે આ એક યાદગાર પળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!