ગુજરાત પર સંકટોના વાદળો! આંબાલાલ પટેલ કરી આગાહી,આ શહેરોમા ભારે વરસાદ થશે…
આ વર્ષે ચોમાસુ ખૂબ જ સારું રહ્યું છે, ગુજરાત રાજ્યમાં
97.70 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. પૂરતો વરસાદ થઈ ગયા પછી પણ હાલમાં એક ચોંકાવનારી વાત સામે આવી છે. વાત જાણે એમ છે કે, હાલમાં જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે સપ્ટેમ્બર મહિનાના પહેલા સપ્તાહમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સક્રિય થવાથી , ગુજરાતમાં પણ વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે.
ચાલો અમે ત્યારે આપને જણાવીએ કે, આખરે ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. અંબાલાલ પટેલનું અનુમાન છે કે, સપ્ટેમ્બર મહિનાના પહેલા સપ્તાહમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સક્રિય થશે. જેની અસર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં થશે. જોકે, ચક્રવાત આવે તે પહેલા પણ આજે 22 ઓગસ્ટ થી 24 સુધી વરસાદનો એક રાઉન્ડ શરૂ થશે.
જ્યારે બંગાળની ખાડીમાં અસર વર્તાય છે, ત્યારે ગુજરાત પર સંકટોના વાદળો છવાઈ જાય છે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં થશે. તેમ જ 27થી 30 ઓગસ્ટના પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.વાતાવરણમાં પલટો પણ આવશે અને પહેલા સપ્તાહમાં વરસાદ પણ થશે. 13 સપ્ટેમ્બર બાદ પણ વરસાદ રહેશે.
હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વલસાડ, નવસારી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, કચ્છમાં ભારે વરસાદની શક્યતાઓ છે. તો અન્ય વિસ્તારમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના છે. જોકે, હવામાન વિભાગનું પણ અનુમાન હતું કે, 22 તારીખથી ફરી એક વખત વરસાદનું જોર વધશે.