Gujarat

બોરસદ પરિણીતા હત્યા કેસમાં ગુંચાતું રહસ્ય, આરોપીઓએ એવી માંગ કરી છે કેસ મા નવો ખુલાસો થય શકે…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગુજરાતમાં અનેક રહ્યસ્યમય મોતની ઘટનાઓ બની છે, ત્યારે હાલમાં જ એક રહસ્યમય મર્ડર ની ઘટના બની જેના લીધે સૌ કોઈ ચોંકી ગયા હતા. ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવનારી અને રહસ્યમય થી ભરપૂર છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, બોરસદના પ્રખ્યાત ઠક્કર ખમણ હાઉસનું પુત્રવધુ રોશા ઉર્ફે નિશા ઠક્કર હત્યા કેસનું નિવારણ લાવવાના અનેક પ્રયત્ન કરી રહ્યા છે.

આ કેસમાં નવા નાટકો કરી તપાસને પ્રભાવિત કરવા પ્રયત્ન કરી રહ્યા છે. પહેલા મૃતક બાથરૂમમાં પડી મરી ગઈ હતીની વિગત જણાવી બાદમાં પંખે લટકી ગઈ હોવાની વિગતો જણાવી હતી. પીએમ રિપોર્ટમાં સાચું કારણ આવતા પરિવારજનોના ગળે ગાળિયો આવી ગયો છે. મૃતક પરિણીતાના પતિ અને જેઠની ધરપકડ થઈ છે. જ્યારે અન્ય પાંચ આરોપી ફરાર છે.

નાર્કો ટેસ્ટ કરાવી આરોપોની ખરાઈ કરવા કોર્ટમાં પહોંચ્યા છે. આમ ફરાર આરોપીઓ દ્વારા નાટક આગળ કરી આ કેસમાંથી બચવાના નિરર્થક પ્રયત્નો કરાઈ રહ્યા છે.સંયુક્ત કુટુંબમાં રહેતા ઠક્કર ખમણ હાઉસ પરિવારે પુત્રવધુ રોશા ઉર્ફે નિશા ઠક્કર ઉપર અમાનવીય અત્યાચાર આચર્યા અને તેની હત્યા કરી હોવાના આરોપ મૃતક પરિણીતાના ભાઈએ લગાવ્યા હતા.

આ દરમિયાન મૃતક પરિણીતાના પતિ અમિત ઠક્કર અને જેઠ મનોજ ઠક્કરની પોલીસે ધરપકડ કરી છે. હાલ પતિ અમિત ઠક્કર કોરોનાગ્રસ્ત હોઈ આણંદ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે જેઠ મનોજ ઠક્કર 31 તારીખ સુધી પોલીસ રિમાન્ડ હેઠળ છે. જેની પૂછપરછ ચાલી રહી છે, પરંતુ હજુ કાંઈ નક્કર પુરાવા મળી શક્યા નથી.

રાજકીય અને વચેટિયાઓ અને વકીલોની સહિતનું લશ્કર કામે લગાડ્યું છે. ફરાર આરોપીઓએ પોતાના બચાવ માટે નાર્કો ટેસ્ટ કરાવવા કોર્ટમાં ઘા નાખી છે. આ અંગે આરોપી પતિ અમિત ઠક્કરની બહેન વીંટુ ઠક્કરે જણાવ્યું હતું કે, અમે ન્યાય માંગી રહ્યા છીએ. જે અનુસંધાને કોર્ટમાં નાર્કો ટેસ્ટ માટે અરજી દાખલ કરવામાં આવી છે અને અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, આ ફરિયાદ રોશાના ભાઈ દ્વારા ખોટી આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!