Gujarat

સુરત: નકલી નોટ કાંડ મા થયા મોટા ખુલાસા ! વધુ 316 કરોડ ની નકલી નોટ અને મુખ્ય માસ્ટરમાઇન્ડ નુ નામ જાણી……

હાલમાં જ સુરત શહેર નજીક નકલી નોટોનું કૌભાંડ સામે આવ્યું હતું અને જાણવા મળ્યું હતું કે નકલી નોટો ફિલ્મી શૂટિંગ માટે લઈ જવામાં આવતી હતી. ત્યારે આ નકલી નોટનાં કૌભાંડમાં ચોંકાવનારી ઘટના બની છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સુનકલી નોટ કાંડ મા થયા મોટા ખુલાસા ! વધુ 316 કરોડ ની નકલી નોટ અને મુખ્ય માસ્ટરમાઇન્ડ નુ નામ જાણીને ચોંકી જશો.

સુરત જિલ્લા કામરેજ પોલીસે આરોપીઓના 25 કરોડના નકલી નોટોના કૌભાંડને પોલીસે બહાર પાડ્યું હતું. ત્યાર બાદ આજે ફરી ચલણી નોટ પાછળ ચોંકાવનારૂ સત્ય સામે આવ્યું છે. હાલમાં જ 52 કરોડથી વધુની નકલી નોટનો રેલો ગુજરાત, મુંબઈ બાદ હવે દિલ્હી સુધી પહોંચ્યો છે. પોલીસે મુંબઈથી માસ્ટર માઈન્ડ વિકાસ જૈન સહિત 6 લોકોને ઝડપી પાડ્યા હતા અને પોલીસે અલગ અલગ જગ્યા પરથી 316 કરોડ 98 લાખની નકલી નોટ કબજે કરી છે.

29મીના રોજ કામરેજના નવી પારડી ખાતેથી પોલીસે જામનગરના એક ચેરિટેબલ ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાંથી કરોડોની ચલણી નોટો ઝડપી પાડી હતી. જે સમગ્ર પ્રકરણમાં એમ્બ્યુલન્સના ચાલક હિતેશના ઘરના પાછળના ભાગેથી સંતાડેલી 52 કરોડથી વધુની ચલણી નકલી નોટો મળી આવી હતી. આ ઘટના ગુજરાતથી બનાવટી નોટોના રેકેટે મુંબઈ તરફ વળાંક લીધો હતો અને મુંબઈ ખાતે મુખ્ય સૂત્રધાર વિકાસ જૈનનું નામ સામે આવ્યું હતું તેમજ અન્ય આ બનાવમાં પકડાયેલા આરોપીઓનાં નામ (1) હિતેષ પરસોત્તમ કોટળિયા (2) દિનેશ લાલજી પોશિયા (3) વિપુલ હરીશ પટેલ (4) વિકાસ પદમચંદ જૈન (5) દિનાનાથ રામનિવાર યાદવ (6) અનુષ વિરનચી શર્મા છે.

મુંબઇની વી.આર લોજિસ્ટિક કંપનીનો માલિક વિકાસ જૈન અને સાથી આરોપીઓએ અનેક લોકો સાથે છેતરપિંડી કરી હતી. જેઓ જે તે વ્યક્તિ સાથે ડીલિંગ કરતી વખતે અમુક રકમ એડવાન્સ ટોકન રૂપે લઇ લેતા હતા, સાથે રાજકોટના એક વેપારી સાથે એક કરોડથી વધુની ઠગાઈ કર્યાનું પણ બહાર આવ્યું છે.

તાપસ દરમિયાન આ રેલો મુંબઇ પહોંચ્યો હતો અને વી.આર લોજિસ્ટિક કંપનીનો મલિક વિકાસ જૈન આખું રેકેટ ચલાવતો હોવાનું બહાર આવ્યું હતું. જેમાં તેઓ ટ્રસ્ટનો ખોટી રીતે ઉપયોગ કરી બનાવટી નોટો અસલી તરીકે બતાવી બુકિંગના નામે લાખો રૂપિયા પડાવી લેતા હતા.મુખ્ય સૂત્રધાર વિકાસ જૈને ગુજરાત જ નહીં પરંતુ મુંબઇ, દિલ્હી તેમજ બેંગ્લોરમાં આખું નેટવર્ક ઊભું કર્યું હતું.

તમામ રાજ્યોમાં મોંઘીદાટ ઓફિસો બનાવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. સામાન્ય રીતે જો કોઈ વ્યક્તિ ટ્રસ્ટમાં દાન આપતા હોય તેમજ કોઈ જગ્યાએ નાણાંનું રોકાણ કરતા હોય એવી વ્યક્તિઓ 50 ટકા રકમ કેશમાં પણ જોવા માંગતા, તો તેઓને આ આરોપીઓ વીડિયો કોલના મારફતે બનાવટી નોટો બતાવી વિશ્વાસમાં લેતા હતા. સમગ્ર મામલે ગ્રામ્ય પોલીસની સાથે બેંકર્સ તેમજ આર.બી.આઈની ટીમ પણ સતત તપાસનું મોનિટરિંગ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!