Gujarat

ગુજરાત પર આવી રહ્યું છે, ” તેજ ” વાવાઝોડાનું સંકટ, જાણો ક્યાં ટકરાશે આ વાવાઝોડું અને ક્યારે? અંબાલાલ પટેલે કરી આગાહી…

હાલમાં ફરી એકવાર વાવાઝોડાનું સંકટ ગુજરાતના માથે આવશે. આપણે સૌ કોઈએ બીપોર જોય અને તાઉ તે વાવાઝોડાનો સામનો કરી ચૂક્યા છે, ત્યારે હવે ફરી એકવાર ગુજરાતમાં  ‘તેજ’ વાવાઝોડું નું સંકટ માથે આવ્યું છે.

હવામાન નિષ્ણાંતોએ ગુજરાત પર આ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે તેવી આગાહી કરી છે.  તેજ  વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ત્રાટકે તેવી સંભાવના ઊભી થઈ છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવઝોડા ‘તેજ’ને લઈને ફરી એકવાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. 

અંબાલાલ પટેલે જણાવ્યું કે, 24 ઓક્ટોબર સુધી વાવાઝોડાની અસર રહેશે. 24 ઓક્ટોબરે ઓમાન-યમન વચ્ચે ‘તેજ’ વાવાઝોડું ટકરાશે અને તબાહી મચાવશે. આ વાવાઝોડાને પગલે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાકિનારે ભારે પવન ફૂંકાશે. પશ્ચિમ વિક્ષેપના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 

24 અને 25 ઓક્ટોબરે રાજ્યમાં ઝરમર વરસાદની સંભાવના છે. 28 ઓક્ટોબરના દિવસે શરદ પૂર્ણિમાના દિવસે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ દેખાશે.  હેમંત ઋતુના આરંભથી શિયાળાની શરૂઆત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!