Gujarat

દિવાના પ્રકાશે અભ્યાસ કરીને ગામડાનો યુવાન બન્યો મામલતદાર! ખેતી કામથી લઈને મામલતદાર બનાવની સફર જાણો.

જીવનમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે, જો વ્યક્તિ અથાગ પરિશ્રમ કરે! અશક્ય જેવું કંઈ છે જ નહીં આ જગમાં. જો વ્યક્તિ પૂર્ણ આત્મવિશ્વાસ સાથે કોઈ કાર્યને પરીપૂર્ણ કરવા માટે સંકલ્પ લઈ લે છે તો, એ કાર્ય અવશ્ય પણે પૂર્ણ થઈ જાય છે. આજે અમે આપને એક એવા વ્યક્તિની વાત કરીશું જેને ખૂબ જ નબળી પરિસ્થિતિ હોવા છતાંય આજે મામલતદાર જેવી ઊંચી પોસ્ટ પર બિરાજમાન છે. ખરેખર આજના સમયના એવા ઘણાય યુવાનો છે, જેઓ પોતાના સપનાઓને પૂર્ણ કરીને જ બતાવે છે.

આજે આપણે વાત કરીશું એક એવા યુવાનની જે ને અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી.લાખણી તાલુકાના લવાણા ગામે ગરીબ પરિવારનો યુવક કેરોસીનના દીવડે ભણી અથાગ પરિશ્રમ થકી યુ.પી.એસ.સી.,જી.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરી ગોધરા- દાહોદના ખાનપુરમાં મામલતદાર તરીકે ફરજ બજાવી રહ્યા છે. અંગત જીવન પર નજર કરીએ તો લાખણી તાલુકાના લવાણા ગામે રહેતા થાનાભાઇ ત્રિકમભાઇ ભીલ અને માતા ધનીબેનનો પરિવાર અત્યંત ગરીબ હતો. દારૂના દૂષણ વચ્ચે જન્મેલા હરેશભાઇને ઘરકામ અને ખેતીના કામમાં મદદરૂપ થાય તેવા વિચારે માતા- પિતાએ તેમને ધોરણ 7 પછી શાળામાંથી ઉઠાડી મુક્યા હતા.

બીજી તરફ બે બહેનો અને ભાઇના લગ્ન કરવામાં આવતાં દેવું વધી ગયું હતુ. બીજાના બોરવેલમાંથી પોતાના ખેતરમાં પાણી લાવવાનું, કડકડતી ઠંડીમાં રાત્રે પિયત કરવાનું અને સવારે ફરી બીજા કામ કરવાનું. ખેતીમાંથી મળેલી આવકમાંથી માંડ વ્યાજ ચુકવાતું હતુ. મુડી એમ જ ઉભી રહેતી.આવી સ્થિતિમાર ધોરણ 12 સાયન્સમાં 62 ટકા મેળવ્યા, પછી એમ. ફાર્મ કરી 78 ટકા સાથે કચ્છમાં રાપરના પલાસવાના કોમ્યુનીટી હેલ્થ સેન્ટરમાં ફાર્માસિસ્ટ, ભૂજ જી. કે. જનરલ હોસ્પિટલમાં દોઢ વર્ષ સુધી ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવી હતી.

વકીલ રત્નાભાઈ પટેલની આર્થિક મદદથી અભ્યાસ કરી વર્ષ 2018માં પ્રથમ પ્રત્યને જી.પી.એસ. સી. પાસ કરતાં છોટા ઉદેપુર ખાતેની આશ્રમશાળામાં અધિકારી તરીકેનું પોસ્ટીંગ મળ્યુ હતુ. જે બાદ 2019માં યુ. પી. એસ. સી પરીક્ષામાં એસ. ટી. કેટેગરીમાં સેકન્ડ રેકથી પાસ થતાં મહિસાગર ખાતે ડેપ્યુટી કલેકટર તરીકે તેમનું પોસ્ટીંગ થયું હતુ. જેઓ હાલ ખાનપુર મામલતદાર તરીકે ફરજ બજાવી રહ્યા છે. જેઓ વતનમાં આવતાં સ્વાગત કરાયું હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!