પહલગામમાં થયેલ આતંકી હુમલાના મૃતકો પ્રત્યે ગુજરાતી કલાકારોએ શોક વ્યક્ત કર્યો, જુઓ શુ કહ્યું કલાકારોએ…
પહલગામમાં થયેલ આતંકી હુમલાના કારણે ભારત દેશ શોકમાં છે, ત્યારે આપણા ગુજરાતી ફિલ્મ અને સંગીત જગતના કલાકારોએ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોના મૃત્યુ પર હ્નદય પૂર્વક શોક વ્યક્ત કર્યો છે. આ હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે, ત્યારે ગુજરાતી કલાકારોએ પણ દુઃખની આ ઘડીમાં મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
સંગીતકાર આદિત્ય ગઢવીએ પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે कश्मीर के पहलगाम में हुए आतंकवादी हमले की खबर काफ़ी दुखद है।इस हमले में जान गँवाने वाले सभी लोगों की आत्मा को शांति मिले यह प्रार्थना है।सख्त कार्रवाई हो ऐसी सभी देशवासियों की मांग को में समर्थन देता हुं।
વિજયગિરીબાવાએ લખ્યું કે जम्मू-कश्मीर में हुआ हमला बेहद निर्मम है।अगर पर्यटक ही सुरक्षित नहीं हैं, तो फिर क्या होगा?
आतंकवादी नाम पूछकर निशाना बना रहे हैं।आतंकवाद का चेहरा भी होता है और धर्म भी।जब हमले भारतीयों पर होते हैं, तो हमें सच्चाई से मुंह नहीं मोड़ना चाहिए।
મલ્હારઠાકર લખ્યું કે, As many as 26 people have been killed in the terror attack on tourists in Pahalgam in Kashmir, a high ranking official said. Those killed included two foreigners and two locals.Source: PTI
આ સિવાયજાનકી બોડીવાલા, આદિત્ય ગઢવી, કિંજલ રાજ પ્રિયા, મિત્ર ગઢવી, યશ અને આરતી વ્યાસ સહિતનાએ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
ગુજરાતી ફિલ્મ અને સંગીત જગતના આ કલાકારોએ દર્શાવેલી સંવેદના સમાજમાં એક સકારાત્મક સંદેશો આપે છે કે દુઃખની આ ઘડીમાં સૌ કોઈ એકબીજાની સાથે છે. આતંકવાદ સામેની લડાઈમાં સમગ્ર દેશ એકજૂટ છે અને આવી ઘટનાઓને ક્યારેય સાંખી લેવામાં નહીં આવે.