સામાન્ય ગુજરાતી પરીવાર મા જન્મેલ ધર્મેશે એવી સફળતા મેળવી કે હાલ બોલીવૂડ મા એક સફળ….
દરેકના જીવનમાં સુખ દુઃખ તો આવ્યા જ કરે છે, પરતું જીવનમાં સફળતા કંઈ રીતે મેળવવી એ મહત્વનું છે.ખરેખર આજના સમયમાં ભાગ્યે જ કોઈ વ્યક્તિની તમને સફળતાની કહાનીજાણવા મળશે. એ વાત આપણે જાણીએ છે કે, આજના સમયમા ફિલ્મ જગત અને સંગીતમય ની દુનિયામાં અનેક કલાકારો છે જે આપણા ગુજરાતીઓ છે.
મૂળ વડોદરાનો ડાન્સર, કોરિયોગ્રાફર અને એક્ટર ધર્મેશ યેલાંડે એક જાણીતું નામ બની ગયો છે. ધર્મેશને આજે નાનું બાળક પણ ઓળખે છે. ડી અથવા ધર્મેશ સર તરીકે ઓળખાતા 37 વર્ષના આ હેન્ડસમને સફળતા એમ જ નથી મળી. તેણે પણ જીવનમાં ગરીબી જોઈ છે, મુશ્કેલીઓ વેઠી છે, ડાન્સિંગમાં કરિયર બનાવતાં તેણે લોકોના ટોણા પણ સાંભળ્યા છે.
છઠ્ઠા ધોરણમાં જ્યારે ડાન્સ સ્પર્ધામાં મારો પહેલો નંબર આવ્યો તો મારા પપ્પાએ મને ડાન્સ ક્લાસમાં દાખલ કર્યો. અમારી આર્થિક સ્થિતિ સારી નહોતી તેમ છતાં. હું 19 વર્ષનો હતો ત્યારે મેં કોલોજ છોડી દીધી. મેં પ્યૂન તરીકે કામ કરવાનું શરૂ કરી દીધું. આ સિવાય હું બાળકોને ડાન્સ પણ શીખવાડતો હતો. જેનાથી હું મહિને 1600 રૂપિયા કમાતો હતો. જે બાદ હું ડાન્સ પ્રેક્ટિસ માટે પણ જતો હતો. થોડા સમય બાદ જોબ છોડી દીધી અને ફુલ ટાઈમ માટે ડાન્સ પર પસંદગી ઉતારી.
તે સમયે મેં ફિલ્મમાં બેકઅપ ડાન્સર તરીકે કામ કરવાનું શરુ કરી દીધું હતું. હું મુંબઈ આવ્યો અને બોલિવુડમાં તક મેળવવાનું શરૂ કરી દીધું. મારી મમ્મી હંમેશા કહેતી કે, ‘ડાન્સથી પૈસા નહીં આવે’. પરંતુ મારા મારે ડાન્સ એ શ્વાસ હતો. તેથી જ્યારે મને જાણ થઈ કે બૂગી વૂગીમાંથી બે કન્ટેસ્ટન્ટે બેકઆઉટ કર્યું છે, તો હું તેમની જગ્યા પૂરવા તૈયાર થઈ ગયો. હું વિનર બન્યો અને મને પાંચ લાખ રૂપિયા ઈનામમાં મળ્યા. મેં મારા પિતાનું બાકીનું દેવુ ચૂકવી દીધું’.
‘તકો મળવા લાગી, પરંતુ બે વર્ષ સુધી સતત પ્રયાસ કર્યા બાદ લીડ રોલ મેળવવામાં મને નિષ્ફળતા મળી. ડાન્સ ઈન્ડિયા ડાન્સ માટે ઓડિશન આપ્યું અને સિલેક્ટ થઈ ગયો. તે શો જીત્યો તો નહીં પરંતુ પોપ્યુલર થઈ ગયો. બાદમાં ડાન્સ શોમાં ગેસ્ટ તરીકે મને લાખો રૂપિયા મળવા લાગ્યા.તેને કેટરીના કૈફ જેવા સ્ટાર્સને પણ કોરિયોગ્રાફ કર્યા છે. ત્યારે રેમો ડિસૂઝા સરે મને કહ્યું કે, ‘મારી ફિલ્મમાં લીડ રોલ ક
પોતાની કમાણીથી મેં મારા પરિવાર માટે નવું ઘર લીધું. મહ્ત્ની વાત એ છે કે, તેના પપ્પા હજુ પણ ચાની કિટલી ચલાવે છે. આ વાત પરથી શીખવા મળે છે કે, જીવનમાં ક્યારેય ગિવ-અપ ન કરવું તેવો એટિટ્યૂડ તેમની પાસેથી મળ્યો છે. કારણ કે અનેક અવરોધો હોવા છતાં મેં મારા દિલની વાત સાંભળી. આને કહેવાય કે, જીવનમાં સફળતા ત્યારે જ મેળવી શકાય છે, જ્યારે તમે પોતાના જીવનમાં અથાગ પરિશ્રમ કરો.