ગુજરાતી સિમેમાં 50 જેટલી ફિલ્મમાં કામ કરનાર જગદીશ ઠાકોરનું માત્ર 37 વર્ષની વયે આ કારણે નિધન થયું હતું!
ગુજરાતી સિનેમામાં અનેક એવા કલાકારો છે,અથાગ પરિશ્રમ
થકી ખૂબ જ સફળતા મેળવી છે.ત્યારે આજે આપણે એક એવા કલાકાર વીશે વાત કરીશું જેમને ગુજરાતી ફિલ્મોના અનેરું યોગદાન આપ્યું હતું. કહેવાય છે ને કે, વિધિના લેખ ક્યારેય મેખ મારી જાય. જીવનમાં એવા ઉમદા કલાકાર હોય છે,જે પોતાના જીવનમાં પોતાના અભિનયની કળા છોડીને જાય છે.
આજે આપણે વાત કરીશું ગુજરાતી સિનેમાના કલાકાર જગદીશ ઠાકોર વિશે! બલાસર ગામના ખેત મજુરના પુત્ર જગદીશે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમા 17 જેટલી એક્શન ફિલ્મો કરીને ઈન્ડસ્ટ્રીઝમા એકશન હીરો થી પ્રચલિત થઈ ગયા હતા. કહેવાય છે ને કે, જીવનમાં ક્યારે મોત આવી જાય એ કોઈ નથી જાણતું. જગદીશ ઠાકોરનું કુમળી વયે અકાળે હ્રદય રોગના હુમલાથી જન્માષ્ટમીએ કરૂણ મોત નીપજતાં સમગ્ર ઠાકોર સમાજમા ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
આજે આપણે વાત કરીશું તેમના જીવન વિશે.ગુજરાતી સિનેમાના અનેરું યોગદાન આપ્યું છે. વાત જાણે એમ છે કે,અન્ય કલાકારો સાથે મળીને 50 જેટલી અને હીરો તરીકે 17 ગુજરાતી ફિલ્મો કરીને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના એક્શન હીરો તરીકે જગદીશ ઠાકોર ખૂબજ પ્રચલિત બન્યા હતા. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના એક્શન હીરો બન્યા પછી પરિવાર સાથે અમદાવાદ નજીક બોપલ ખાતે પિતા અને પત્ની અને બે સંતાનો સાથે રહેતા હતા. વાર તહેવારે પોતાના વતન બલાસર ગામે આવતા હતા.
જગદીશ ઠાકોર મંગળવારે જન્માષ્ટમીના દિવસે બલાસર રોડ સ્થિત ત્રિભુનવ ઈન્ડસ્ટ્રીઝ પાસે હોટલ પર બેઠા હતા.અચાનક તેમને છાતીમાં દુખાવો થતાં તેઓ પડી ગયા હતા. જેથી તેમને તાત્કાલિક કડીની ભાગ્યોદય જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં પહોંચતા જ હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતાં. જેમની અંતીમ યાત્રામાં ગામ સહિત ઠાકોર સમાજ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના લોકો મોટી સંખ્યામા જોડાયા હતા. વર્ષ 2017માં ઓગષ્ટ મહિનામાં તેને આ દુનિયામાં થી વિદાઇ લીધી હતી.
જેના કારણે પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. જ્યારે પરિવારમાં માતા-પિતા, ભાઈ, પત્ની, પુત્ર, અને પુત્રી છે. જગદીઠ ઠાકોરે પહેલા સિંગર તરીકે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતો હતો.,ત્યાર બાદ તે પોતે ફિલ્મમાં અભિનેતા તરીકે ભૂમિકા ભજવતો થયો હતો. જોકે તેણે ગુજરાતી ફિલ્મોમાં ઘણાં સોંગ ગાયા અને ઘણી ફિલ્મોમાં પણ ભૂમિકા ભજવી હતી. તેઓ ભલે આ દુનિયામાંથી વિદાઈ લઈ લીધી પરતું તેમની ફિલ્મો થકી આજે લોકોના હૈયામાં જીવંત છે.