Gujarat

માત્ર 500 રૂ.માંથી અબજો રૂપિયાની કંપની ઉભી કરી ધીરુભાઇ અંબાણીએ! જાણો કેવું હતું જીવન..

ધીરજલાલ હિરાચંદ અંબાણી કે જેમને ધીરુભાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેઓ અનેક સંઘર્ષ કરીને આપબળે ધનવાન બનેલા. જેમણે મુંબઈમાં પોતાના પિતરાઈ સાથે Reliance Industries ની સ્થાપના કરી હતી.

1977માં ધીરુભાઈ અંબાણી તેમની કંપની રિલાયન્સને જાહેરમાં લઈ ગયા અને 2007 સુધીમાં તેમના પરિવાર 60 અબજ ડોલર હતીજેને પગલે અંબાણીઓ વિશ્વના સૌથી વધુ ધનવાન પરિવારોમાં સ્થાન પામ્યા હતા.આ તમામ સફળતા માત્ર રાતો રાત મળી નથી.આ પહેલા તેમનું જીવન અનેક મુશ્કેલીઓમાંથી પસાર થયેલું ત્યારે આ ઉંચાઈ પ્રાપ્ત કરી.

ધીરુભાઈ અંબાણીનો જન્મ 28 ડીસેમ્બર 1932માં ચોરવાડ ખાતે હિરાચંદ ગોરધન અંબાણી અને જમનાબેનના ઘરે  અત્યંત સામાન્ય સ્થિતિ ધરાવતા મોઢ વણિક પરિવારમાં થયો હતો. તેઓ સ્કૂલ ટીચરના બીજા સંતાન હતા. 16 વર્ષની ઉંમરેતેઓ યેમનમાં આવેલા એડન ખાતે ગયા હતા

.તેમણે 300 રૂપિયાના પગારથી A. Besse & Co.માં કામ કર્યું.બે વર્ષ બાદ એ.બીસ. એન્ડ કું Shell ઉત્પાદનોની ડિસ્ટ્રીબ્યુટર બની અને ધીરુભાઈને બઢતી સાથે કંપનીના એડનના બંદર ખાતેના ફિલિંગ સ્ટેશનના સંચાલનની જવાબદારી સોંપવામાં આવી.1962માં ધીરુભાઈ ભારત પાછા આવ્યા.

રીલાયન્સ(Reliance)ની શરૂઆતકરી.રીલાયન્સ(Reliance) પોલિયસ્ટર યાર્નની આયાત અને મસાલાની નિકાસ કરતી હત, ચમપ દામણી તેમના બીજા પિતરાઈ કે જેઓ એડન, યમનમાં તેમની સાથે હતા, ની સાથે ભાગીદારીમાં કારોબાર શરૂ કર્યો. રીલાયન્સ કમર્શિયલ કોર્પોરેશન ની પ્રથમ ઓફિસ મસ્જિદ બંદરની નરસિનાથ ગલી ખાતે શરૂ કરવામાં આવી.

જેમાં 350 sq ft (33 m2). એક ટેલિફોન, એક ટેબલ અને ત્રણ ખુરશી સાથેનો ઓરડો હતો. શરૂઆતમાં કારોબારમાં મદદ કરવા તેમના પાસે બે સહાયક હતા. 1965માં, ચંપકલાલ દામાણી અને ધીરુભાઈ અંબાણી વચ્ચેની ભાગીદારીનો અંત આવ્યો અને ધીરુભાઈએ પોતાની રીતે શરૂઆત કરી.

બંનેની પ્રકૃતિ અને કારોબારની કામગીરીમાં અલગ પદ્ધતિ હોવાનું માનવામાં આવે છે.શ્રી દામાણી સાવધ વેપારી હતા અને યાર્નના માલ-સામાનના નિર્માણમાં રોકાણ માટે અસંમત હતા, જ્યારે કે ધીરુભાઈ સાહસવૃત્તિ માટે જાણીતા હતા અને તેઓ માનતા હતા કે ભવિષ્યમાં કિંમતો વધશે અને તેથી નફો મેળવવા માટે માલ-સામાનનું નિર્માણ જરૂરી હતું. 1968માં તેઓ દક્ષિણ મુંબઈના અલ્ટમાઉન્ટ રોડ ખાતેના વૈભવી એપાર્ટમેન્ટમાં રહેવા ગયા. 1970ના દસકાના અંત સુધીમાં અંબાણીની અંદાજિત સંપત્તિ રૂપિયા 10 લાખ હતી.

ગુજરાતના નાના રોકાણકારોને એવું સમજાવવામાં ધીરુભાઈ સફળ રહ્યા હતા કે કંપનીના શેરધારક બનવાથી તેમને લાભ થશે. રીલાયન્સ ઈન્ડસ્ટ્રી ખાનગીક્ષેત્રની પ્રથમ એવી કંપની હતી કે જેની વાર્ષિક સાધારણ સભાઓ સ્ટેડિયમોમાં યોજાતી હોય. 1986માં, રીલાયન્સ ઈન્ડસ્ટ્રીની વાર્ષિક સાધારણ સભા મુંબઈના ક્રોસ મેદાનમાં યોજાઈ હતી અને રીલાયન્સ પરિવારના 35,000 શેરધારકો અને રીલાયન્સ કુટુંબે તેમાં ભાગ લીધો હતો. ધીરુભાઈઆ ખૂબ જ મહેનતથી આ સફળતા પ્રાપ્ત કરેલ.

 હદય રોગના હુમલાના કારણે 24 જૂન 2002ના રોજ ધીરુભાઈ અંબાણીને મુંબઈ ખાતેની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ તેમનો બીજો હુમલો હતો, પ્રથમ હુમલો ફેબ્રુઆરી 1986માં આવ્યો હતો અને તેમના જમણા હાથે લકવો થયો હતો.એક અઠવાડિયા કરતાં વધારે સમય સુધી તેઓ બેભાન અવસ્થામાં રહ્યા.

તબીબોની ટૂકડી તેમનું જીવન બચાવવામાં નિષ્ફળ રહી.તેઓ 6 જુલાઈ, 2002,ના રોજ રાત્રે 11:50 ની આસપાસ મૃત્યુ પામ્યાતેમની અંતિમ સંસ્કાર વિધિમાં માત્ર ઉદ્યોગપતિઓ, નેતાઓ અને સુપ્રસિદ્ધ માણસો જ નહિ, પરંતુ હજારોની સંખ્યામાં સામાન્ય લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. હિન્દુ પરંપરા અનુસાર તેમના મોટા દીકરા મુકેશ અંબાણીએ અંતિમ સંસ્કાર કર્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!