Entertainment

ગુજરાતી સિનેમામાં શેઠ સગાડશા થી લોકપ્રિય થયેલ શ્રી કાંત સોનીનું જીવન હતું આવુ કે…

ગુજરાતી સિનેમા અનેક અભિનેતાઓ હતા જેમાં તમામ કલાકારોનો અભિનય ખૂબ જ ઉમદા હતો. ત્યારે આજે આપણે વાત કરીશું ગુજરાતી સિનેમાના લોકપ્રિય અભિનેતા શ્રીકાંત સોની વિશે તમેં જણાવીશું! ખરેખર આજના સમયમાં આવા ઉમદા અને કૌશલ્ય યુક્ત અભિનેતા આજના સમયમાં મળવા શક્ય નથી. ત્યારે ખરેખર શ્રીકાંત જોશીનું જીવન ખૂબ જ સંઘર્ષમય અંર સફળતા વાળું છે.

સામાજિક ગુજરાતી ફિલ્મોથી અભિનયની કારકિર્દી શરૂ કરી હિંદી ફિલ્મો અને ટેલિવિઝન ક્ષેત્રે પણ સફળતા મેળવનારા જાણીતા અભિનેતા શ્રીકાંત સોની વર્ષ ૧૯૭૨માં ખૂબ નાની ઉંમરે ફિલ્મ ‘નાગપંચમી’થી શ્રીકાંત સોનીએ અભિનય શ્રેત્રે પદાર્પણ કર્યું હતું અને તેમાં તેમની નાની પણ ચોટદાર ભૂમિકા હતી. ત્યાર બાદ સફળ ધાર્મિક ફિલ્મોની હારમાળા તેમના અભિનય અને નિર્માણ તેમજ દિગ્દર્શનથી ઓપતી હતી.

૧૯૭૯માં ‘હર હર ગંગે’, ૧૯૮૧માં ‘ભગત ગોરા કુંભાર’ અને ૧૯૮૫માં ‘ભગવાન શ્રી કૃષ્ણ’ ફિલ્મમાં તેમની ભૂમિકાઓ લોકચાહના પામી હતી. આ ફિલ્મો ઉપરાંત પણ વર્ષ ૧૯૭૬માં ‘ભાદર તારા વહેતા પાણી’ જેવી સફળ ગુજરાતી ફિલ્મમાં તેમણે સુંદર ભૂમિકાથી વાહવાહી મેળવી હતી. શ્રીકાંત સોનીએ ૨૦૦થી વધુ ફિલ્મોમાં નાની-મોટી ભૂમિકાઓથી ગુજરાતી પડદાને સતત ગાજતો રાખ્યો હતો.
ટચૂકડે પડદે ટીવી શ્રેણી ‘હમારી દેવરાની’માં પણ સોનીનો અભિનય વખણાયો હતો.આજે અભિનયની ખોટ વર્તાશે.

તમે શેઠ સગાડશાનું ફિલ્મ તો જોયું હશે.આ ફિલ્મ તેમને સ્નેહલતા સાથે અભિનય કરેલ હતી. આ ફિલ્મ ખૂબ જ લોકપ્રિય બની હતી. ખરેખર શ્રીકાંત સોની માત્ર ગુજરાતી ફિલ્મોમાં જ નહીં પરંતુ બોલીવુડની ફિલ્મો અને ટીવી સીરિયલમાં મહત્વનું યોગદાન આપ્યું અને આજ કારણે તેમને લોકો આજે પણ નથી ભૂલી શક્યા. તેઓ પોતાના જીવનકાળ દરમિયાન અંત સુધી અભિનયને સમર્પિત રહ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!