Gujarat

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કીશન ની 20 દિવસની દીકરીને હાથમાં લઈ ભાવુક થયા અને કહ્યુ કે….

ધંધુકા ના કીશન બોલીયા કેસ મા એક વળાંક આવ્યો છે જેમા જમાલપુર ના એક મૌલવી ની ઘરપકડ કરવામા આવી છે. આ ઘટના બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એ એક ફેસબુક પોસ્ટ કરી ને પરીવાર ના આશ્વાસન આપ્યા બાદ ગઈ કાલે કિશન ની પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ યાત્રા નિકળી હતી જયારે આજે હર્ષ સંઘવી એ પિડીત પરીવાર ની મુલાકાત કરી હતી.

હર્ષ સંઘવી એ આ ઘટના અંગે જણાવ્યું હતુ કે “આ કેસનું નિરીક્ષણ રાજ્ય સરકાર પોતે ગાંધીનગરથી કરે તેવું અમે નક્કી કર્યું છે. આ કેસમાં અમદાવાદ જિલ્લા પોલીસ ખૂબ સારી કામગીરી કરી છે. એક યુવાન નાગરિક કે જેની હત્યા થઇ અને 20 દિવસની દીકરીએ કે જેને પિતા ગુમાવ્યા છે તેના માથા પર હાથ મૂકીને આજે અમે વચન આપવા માટે આવ્યા છિએ કે, અમે ખૂબ જ ગંભીરતા પૂર્વક આ વિષયની તપાસ કરી રહ્યા છે. તમામ લોકોને કાયદાની મર્યાદામાં ન્યાય મળશે. પણ આ કેસમાં સામેલ છે તેવા લોકોને બીજી છટકબારી ન મળે તે માટે વિશેષ વાત હું જાહરે કરી શકું તેમ નથી.

હું વિશ્વાસ અપાવું છું કે ગણતરીના મહિનાઓની અંદર આ કિશનના હત્યારાઓને પકડીને આ દીકરીને ન્યાય અપાવીશ. એ માટે સૌ લોકો અમે એક ટીમ તરીકે કામ કરવા જઈ રહ્યા છે. આ બાબતે કોઈ પણ વિષય અહિયાં હાજર રહેલા કોઈ પણ ધ્યાનમાં આવે એટલે તાત્કાલિક અમારો સંપર્ક કર્યો. આ માટે સમય જોવાની જરૂર નથી અમે 24 કલાક તમારી સાથે છીએ. આ વિષયમાં જળમૂળ સુધી જઈને ન્યાય એવો આવશે કે ભવિષ્યમાં કોઈ આ પ્રકારના યુવાનો પર આંખ ઊંચી કરીને જોઈ શકશે નહીં. આ માટે અમે ટીમને લગાવી છે. હું વિશ્વાસ અપાવું છું કે આ સૌને હું ન્યાય અપાવીને રહીશ.”

આ ઉપરાંત હર્ષ સંઘવી એ જણાવ્યુ હતુ કે “આ 20 દિવસની દીકરીને ન્યાય અપાવવાની જવાબદારી આપણી બધાની છે. આ કામગીરીમાં હું આગળ નીકળ્યો છે. અમારા મંત્રીઓ આગળ નીકળ્યા છે અને જિલ્લા પોલીસ પર આગળ નીકળ્યા છે. એટલે આપ સૌને વિનંતી કરું છું કે કોઈની પાસે નાનામાં નાની માહિતી હોય તો પોલીસને આપીને સહકાર આપજો.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!