શ્રી રામ મંદીરમાં બિરાજમાન શ્રી રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠાના દર્શન કરો ઘર બેઠાં! જુઓ આ ખાસ તસવીરો આવી સામે…
વિશ્વ આખું ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ ને સદાય ઐતિહાસિક દિવસ તરીકે યાદ કરશે. ૫૦૦ વર્ષ બાદ ભારતને રામ મળ્યા. આ દિવ્ય ઘડીના સૌ સાક્ષી બન્યા અને ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં દીપોત્સવ મનાવવામાં આવ્યો. ખરેખર સનાતની તરીકે આપણને ગર્વ છે કે, પ્રભુ શ્રી રામ ને આપણે હવે ભવ્ય અને દિવ્ય મંદિરમાં બિરાજમાન થયા છે.
વિશ્વના લોકપ્રિય નેતા અને ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના હસ્તે બાળ સ્વરૂપ શ્રી રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. જ્યારે મનમોહક વસ્ત્રો અને સુવર્ણ આભૂષણોમાં શ્રી રામનું સુંદર સ્વરૂપ સૌ એ નિહાળ્યું ત્યારે સૌ રામ ભક્તોને શ્રી રામ રૂપી જગત ભરનું સુખ પ્રાપ્ત થઈ ગયું.
શ્રી રામ લલાનું સ્વરૂપ ૫ વર્ષનું છે, જ્યારે શ્રી રામના દર્શન થયા ત્યારે સૌ એ અયોધ્યાના રાજકુમારના રૂપમાં સૌ એ રામને નિહાળ્યા. તમને જાણીને આશ્ચર્ય થશે કે પ્રભુ શ્રી રામનો શણગાર સોના, હીરા, માણેક થી કરવામાં આવ્યો. આ સ્વરૂપ અતિ અમૂલ્ય અને અતુલ્ય હતું. આ તમામ સુવર્ણ અલંકારો લખનઉની HSJ જ્વેલર્સ બનાવેલ છે.
મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રિત મહેમાનોની વાત કરીએ તો. આ શુભ અવસરે સાધુ સંતો, રાજકિય નેતાઓ તેમજ ઉદ્યોગપતિઓ સહિત ફિલ્મ જગતના તમામ લોકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ભારત દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી તો સહ પરિવાર ઉપસ્થિત રહીને પ્રભુ શ્રી રામના દિવ્ય દર્શન કર્યા હતા તેમજ પોતાના ઘર એન્ટિલિયાને પણ રામમય બનાવ્યું હતું.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.