હેલીકોપ્ટર દુર્ઘટના મા શહીદ થયેલ જવાન ને પરીવાર સાથે એવી વાત થય હતી કે.
હાલમાં જ ભારતે અમૂલ્ય રતન ગુમાવ્યું છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, તામિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર ક્રેશ થવાથી ભારતના CDS જનરલ બિપિન રાવત અને તેમના પત્ની સહિત 11 અધિકારીઓ શહીદ થઈ ગયા. ત્યારે આ હેલિકોપ્ટરમાં સામેલ એક જવાનનું મુત્યુ થતા પહેલા પરિવાર સાથે વાત ચિત થયેલ અને આ વાત જાણીને તમને પણ આશ્ચત થશે અને આંખમાં આંસુઓ છલકાઈ જશે. ખરેખર આ ખૂબ જ દુઃખદ અને હ્દય સ્પર્શી જાય એવી વાત છે.
આ ઘટના એક જવાન હતા અને એમનું નામ તેજા હતું. તેમનાં નિધન થી પિતા તેમની પત્ની અને બે બાળકો હતા અને તેમના નિધન થી પરિવારમાં દુઃખ વાતાવરણ છવાઈ ગયું.મળતી માહિતી મુજબ હેલિકોપ્ટર દુર્ઘટનાના થોડા સમય પહેલા સાંઈ તેજાએ તેની પત્ની અને બંને બાળકો સાથે વીડિયો કોલ પર વાત કરી હતી. સાંઈ તેજા ઉતાવળમાં હતો તેથી તે તેના પરિવાર સાથે યોગ્ય રીતે વાતચીત કરી શક્યો ન હતો.
જણાવી દઈએ કે સાઈ તેજાને જનરલ બિપિન રાવતના સુરક્ષા અધિકારી તરીકે તૈનાત કરવામાં આવ્યા હતા. તેથી જ હેલિકોપ્ટર દુર્ઘટના સમયે વિપિન રાવત સાથે સાંઈ તેજા હાજર હતાસાઈ તેજા આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લાનો રહેવાસી હતો. તેના પિતા મોહને જણાવ્યું કે પુત્ર વર્ષ 2012માં આર્મીમાં જોડાયો હતો. તેણે જણાવ્યું કે દસમું ધોરણ પૂરું કર્યા પછી તરત જ સાંઈ તેજાએ આર્મીની નોકરી માટે પ્રયાસ કરવાનું શરૂ કર્યું. તેમને બાળપણથી જ આર્મીમાં જોડાવાની ઈચ્છા હતી. વર્ષ 2016માં સાંઈ તેજા 11મી પેરા બટાલિયનમાં પોસ્ટેડ હતા.
7 મહિના પહેલા જ લાન્સ નાઈક સાઈ તેજાને જનરલ બિપિન રાવતની સુરક્ષામાં તૈનાત કરવામાં આવ્યા હતા.લાન્સ નાઈક સાઈ તેજાના પિતા મોહને જણાવ્યું કે સાઈ તેજા ગયા સપ્ટેમ્બરમાં રજા પર ઘરે આવ્યો હતો અને તે સમયે તેણે પરિવાર સાથે ઘણો હસતો અને ખુશ સમય વિતાવ્યો હતો. સાંઈ તેજાના પિતાએ જણાવ્યું કે આવતી સંક્રાંતિ પર તે રજા લઈને ફરીથી તેના ઘરે આવવાનો હતો અને તેણે આવું વચન આપ્યું હતું. પરંતુ કોઈ જાણતું ન હતું કે હવે લાન્સ નાઈક સાયે તેજા ક્યારેય પાછો નહીં આવે. આખો પરિવાર તેમના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યો છે અને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે.ખરેખર જવાનોનાં પરિવાર માટે આ દુઃખ ઘટનાં છે. સૌ જવાનોને શત શત નમન.