હીરાબાનું 100 વર્ષની વયે નિધન! માતાના પાર્થિવદેહને જોઈ મોદીજી ચોંધારે આંસુ રડી પડ્યાં, જુઓ હીરાબાની અંતિમ વિદાયની તસ્વીરો…
વર્ષ 2022નો અંત ખૂબ જ દુઃખદાયી ઘટના સાથે થયો છે. આજ રોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજીના માતા હીરાબેન દેવલોક પામ્યાં છે. છેલ્લા બે દિવસથી તેમનો તબિયત ખરાબ હોવાથી તેમને અમદાવાદ શહેરની યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં અને તબિયત અત્યંત નાજુક હોવાથી તાત્કાલિક પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અમદાવાદ પધાર્યા હતા.
આજ સવાર ના જ દુઃખ સમાચાર સામે આવતા જ શોકમય વાતાવરણ છવાઈ ગયેલું. તમને જણાવી દઈએ કે, હીરાબાએ 100 વર્ષની વયે અમદાવાદમાં યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં શુક્રવારે વહેલી સવારે 3.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરની એક અખબારી યાદીમાં આ જાણકારી આપવામાં આવી હતી.
હીરાબાના અંતિમ સંસ્કાર ગાંધીનગરમાં થશે. તેમની અંતિમ યાત્રા પુત્ર પંકજ મોદીના રાયસણ સ્થિત ઘરેથી 8.30 વાગ્યા થશે અને સેક્ટર-30ના સ્મશાન ખાતે પહોંચશે. પીએમ મોદીએ ટ્વિટ કરીને હીરાબાના નિધનની જાણકારી આપી હતી. તેમણે લખ્યું – એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં છે. માતામાં, મેં હંમેશા તે ત્રિમૂર્તિ અનુભવી છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાને નાદુરસ્ત તબિયતને કારણે સવારે યુ.એન.મહેતા”>યુ.એન.મહેતા હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી હતી. તેમના તમામ રિપોર્ટ કરાયા બાદ હાલ ચોથા માળ પર સારવાર કરવામાં આવી રહી હતી. તેમની છ એક્સપર્ટ ડોક્ટર તેમજ અન્ય એક્સપર્ટ સ્ટાફને સાથે રાખીને ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી હતી.
મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમાચાર મળ્યા ત્યારથી ડોક્ટરના સંપર્કમાં હતા. તેઓ માતાની તબિયત અંગે એક એક પળની માહિતી મેળવતા હતા. ત્યાર બાદ મોદી દિલ્હીથી અમદાવાદ આવવા નીકળ્યા હતા. તેઓ 3.50 વાગ્યા આસપાસ અમદાવાદ એરપોર્ટ અને સાંજે 4 વાગ્યે યુ.એન મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા.
જ્યાં તેમણે માતાના સ્વાસ્થ્ય અંગે નિષ્ણાત તબીબો સાથે વાતચીત કરી હતી. યુ.એન મહેતા બપોરે સત્તાવાર રીતે હીરાબાની તબિયત સુધારા પર હોવાનું હેલ્થ બુલેટિન રિલીઝ કર્યું હતું. તેમજ હોસ્પિટલમાં લગભગ સવા કલાક સુધી રોકાયા બાદ દિલ્હી જવા રવાના થયા હતા અને આખરે છેલ્લીવાર માન દર્શન કર્યા બાદ તેમણે દિલ્હીમાં દુઃખદ સમાચાર મળતા શોકમગ્ન બની ગયા હતા. આજ રોજ તેઓ ફરીથી અમદાવાદ આવશે અને હીરાબાની અંતિમવિધી માં જોડાશે.