આ દંપતિ ના ઘર મા એક પણ લાઈટ કે પંખો નથી ! છતા પોતાના સપના ના ઘર મા આવી રીતે ટેસ થી રહે છે ! જુવો તસ્વીરો
દરેક વ્યક્તિને પોતાના સપનાનાં ઘરમાં રહેવાની ઈચ્છા હોય છે, ત્યારે આજે આપણે એક એવા દંપતીની વાત કરીશું જેઓ પોતાનાં સપનાના ઘરમાં તો રહે છે પણ આ દંપતિ ના ઘર મા એક પણ લાઈટ કે પંખો નથી ! છતા પોતાના સપના ના ઘર મા આવી રીતે ટેસ થી રહે છે ! ચાલો આ ઘર વિશે વધુ જાણીએ.આજના સમયમાં દરેક ભૌતિક સુવિધાઓનાં કારણે પ્રકૃતિથી દૂર થઈ રહ્યા છીએ.
આજનક સમયમાં એવા લોકો છે જે, પોતાનું જીવન પર્યાવરણને અનુકૂળ જીવે છે. આજે આપણે એક એવા ઘરની મુલાકાત લેશું જેસંપૂર્ણપણે પ્રકૃતિ માટે અનુકૂળ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, તેમના ઘરે ન તો બલ્બ મળશે કે ન તો પંખો.આ વાત છે બેંગલોરનાં રંજન અને રેવા મલિકની છે. તેમનું ઘર સંપૂર્ણપણે પર્યાવરણને અનુકૂળ છે.આ કારણ છે કે ગ્રીડ પાવર પર તેમની નિર્ભરતા ઘણી ઓછી થઈ ગઈ છે.દરરોજ સવારે, સૂર્યપ્રકાશ અને હવામાનની પરિસ્થિતિ નક્કી કરે છે.આંગણામાં લાગેલાં 40થી વધુ જૈવિક શાકભાજી અને ફળોનું સિંચન કરે છે.
આ ઘર સંપૂર્ણપણે કાદવ અને રિસાયકલ સામાનોમાંથી બનેલું છે.આટલું જ નહીં, તેના મકાનમાં ભૂગર્ભ જળ સંચય કરવાની સિસ્ટમ પણ છે જ્યાં 10 હજાર લીટર સુધી પાણીનો સંગ્રહ કરી શકાય છે. ઉપરાંત, તેમના મકાનમાં પૂરતી ક્રોસ વેન્ટિલેશન સુવિધા છે, જેના કારણે તાપમાન હંમેશાં સામાન્ય રહે છે.આ મકાન ડિઝાઇન કન્સલ્ટન્સી ફર્મ માહિજા દ્વારા બનાવવામાં આવ્યું છે. તેની મુખ્ય કંપની મૃણમયી છેમહિજાએ આ મકાન સ્થાનિક રીતે ઉપલબ્ધ સંસાધનો અને રીસાઇકલ વસ્તુઓથી બનાવ્યું છે. જેથી તેમને પરંપરાગત બંધારણ કરતા 15 ટકા ઓછો થયો છે.
આ ઘર 770 ચોરસ ફૂટની ત્રિજ્યામાં બાંધવામાં આવ્યું છે. આ ઘર કાદવનું બનેલું છે. તો, તેના પાયો બનાવવા માટે મડ કોંક્રીટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. “આ મકાનમાં એક રસોડું, લિવિંગ રૂમ અને શેડ છે, જે બેડરૂમ અને અભ્યાસ ખંડ બંનેનું કામ કરે છે. ઘરનો પાયો કાદવ કોંક્રિટથી બનેલો છે, જેથી સિમેન્ટની જરૂર ન પડે. આ ઘરમાં જરૂરીયાત મુજબ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે સંપૂર્ણપણે ભૂકંપ પ્રતિરોધક છે.