હોમગાર્ડની ભરતીમાં આવેલ યુવકનું થયું મોત! ત્રણ બાળકોએ ગુમાવી પુતાની છત્ર છાયા….
યુવાનો પોતાની કારકિર્દીને સફળ બનાવવા ઘણી મહેનત કરતા હોય છે. આ વાત તો આપણે સૌ કોઈ જાણીએ છીએ. ત્યારે હાલમાં જ એક યુવાનનું હોમગાર્ડની ભરતી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો. ખરેખર આ ઘટનાને લીધે પરિવાર જનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. યુવાને સ્વપ્નમાં નહીં વિચાર્યું હશે કે આ પરીક્ષા તેમના જીવનની અંતિમ પરીક્ષા બનીને રહી જશે.
હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે,અરવલ્લીના મોડાસા ખાતે હોમગાર્ડની ભરતીમાં આવેલ યુવકનું મોત થયું હતું. યુવકને ફિઝિકલ ટેસ્ટ બાદ છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જે બાદ તેને તાત્કાલિક સારવાર અર્થે સાર્વજનિક હોસ્પિટલ લઈ જવાયો હતો. યુવકને મૃત જાહેર કર્યો હતો. તો યુવકના મોતને લઈ તેના પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.
મોડાસાના સાકરીયા ખાતે આવેલા પોલીસ ગ્રાઉન્ડ ખાતે ભરતી કેમ્પ યોજાયો હતો જેમાં ત્રણેય વિસ્તારો માઠીના 243 ઉમેદવારો ભરતીમાં જોડાવા માટે આવ્યા હતા. ત્યારે આ ભરતીમાં મોડાસા તાલુકાના મોટી ઈસરોલ પાસે આવેલા ભીલકુવા ગામનો રણજીતસિંહ રજુસિંહ પરમાર ઉંમર 25 વર્ષ નામનો ઉમેદવાર પણ ભરતીમાં આવ્યો હતો.
આ ઉમેદવારે ભરતીમાં ફિઝીલ ટેસ્ટ આપ્યા બાદ સર્ટિફિકેટ વેરિફિકેશન કરાવતો હતો. તેવામાં અચાનક ચક્કર આવી તબિયત લથડી હતી. જેથી સ્થળ ઉપર હાજર ડોક્ટરની ટીમ દ્વારા પ્રાથમિક તપાસ બાદ વધુ સારવાર માટે સ્થળ ઉપર હાજર એમ્બ્યુલન્સમાં મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. જ્યા આ યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
યુવકને સંતાનમાં ત્રણ બાળકો છે. ત્યારે પરિવાર જાણો દ્વારા મૃતકના પરિવારને આર્થિક સહાય કરવામાં આવે તેવી માંગ કરી છે.આ યુવક નોકરીની આશાએ ભરતી મેળામાં આવ્યો હતો. તેમણે નાનપણમાં જ માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. જેથી કાકાએ તેનો ઉછેર કર્યો હતો. આ વાતની માહિતી મળતા જ યુવકના મોતના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. યુવકની આત્મને શાંતિ મળે તેમજ પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ મળે એજ પ્રાર્થના.