GujaratIndia

સુરત ના દંપતી ને સલામ ! 30 જેટલા વૃધ્ધો ને પરીવાર ના સભ્યો ની જેમ સાચવતા છે અને મહીને થતા ખર્ચ મા…

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિના જીવનમાં પોતાના માતા પિતાનું સ્થાન ઘણું મહત્વનું હોઈ છે. આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર પૃથ્વી પર માતા પિતા અને સંતાનો જે સંબંધ છે તે ઘણો નિસ્વાર્થ છે. આપણે સૌ જાણીએ છીએકે દરેક માતા પિતાની ઈચ્છા હોઈ છે કે પોતાનું સંતાન આગળ વધે અને તેને જીવનમાં કોઈ પણ મુશ્કેલીઓ નો સામનો ન કરવો પડે. આ માટે માતા પિતા પોતે અનેક મુશ્કેલીઓનો સામનો કરીને પણ પોતાના સંતાનોને ઉછેરે છે.

પરંતુ ઘણી વખત સમાજમાં એવા બનાવો પણ સામે આવે છે કે જેના કારણે આપણે સૌ ચોકી જઈએ છીએ કારણકે જે માતાએ ૯ મહિના સુધી અનેક દુઃખ અને દર્દ સહન કરીને પોતાના જીવને જોખમમાં મૂકી બાળકને જન્મ આપ્યો હોઈ ઉપરાંત જે પિતા પોતાની જરૂરિયાતો ભૂલીને બાળકની દરેક માંગણીઓ પૂર્ણ કરતા હોઈ પરંતુ ઉમરના છેલ્લા મુકામે કે જયારે માતા પિતા વૃદ્ધ થઇ જાય છે અને તેમને પોતાના બાળકોની સૌથી વધુ જરૂર હોઈ છે ત્યારે અમુક કપાતર માતા પિતાને નિઃસહાય ઘરડા ઘરમાં મુકી આવે છે.

ખરેખર આ એક ઘણોજ ભાવુક બાબત છે પરંતુ કહેવાય છે કે જેનું કોઈ નથી હોતું તેમના ભગવાન હોઈ છે તેમ આપણે પણ અહી એક એવીજ દંપતી વિશે વાત કરવની છે કે જેમણે પોતે અનેક મુશ્કેલીઓ નો સામનો કરીને પણ નિસહાય અને તરછોડાયેલા માતા વૃદ્ધ લોકોને પોતાની સાથે રાખે છે અને તેમની સેવા કરે છે આવા લોકોના કારણે જ એવું લાગે કે હજુ માનવતા જીવે છે તો ચાલો આપણે આ દંપતી વિશે વધુ જાણીએ.

મિત્રો આપણે અહી સુરતમાં રહેતી આ દંપતી વિશે વાત કરવાની છે. અહી ગુણવંત ભાઈ ઘાડિયા અને તેમના પત્ની લતાબેન ઘાડિયા રહે છે કે જેમણે માનવતાની મિસાલ આપી છે. જણાવી દઈએ કે આમતો ગુણવંત ભાઈ હીરાના વ્યપાર સાથે સંકળાયેલા છે. તેમનું પોતાનું કારખાનું છે, તેઓ કારખાના ના માલિક સાથો સાથ એક સારા વ્યક્તિ પણ છે. અગાઉ તેઓ પત્ની સાથે અનેક સામાજિક કર્યો માટે જતા ઉપરાંત અનેક ઘરડા ઘરમાં પણ જતા.

તેઓ હમેશા વિચારતા કે આવા ઘરડા ઘર ણ હોતતો સારું હતું કારણકે તો આ વૃદ્ધ માતા પિતા પોતાના બાળકો સાથે તો રહી સકેત પરંતુ એક વખત એક વૃદ્ધ દંપતીએ. ગુણવંત ભાઈ અને તેમના પત્ની ને પોતાની એવી દુખદ વાત કહી કે તેમનેપણ થયું કે શરુ આવા વૃધાશ્રમ છે કે જેથી આ દંપતીઓ પોતાનું જીવન સારી રીતે અને સન્માનથી જીવી શકે છે, જે બાદ તેમને પણ વૃદ્ધ લોકોની સેવા અર્થે વૃધાશ્રમ ખોલવાનું નક્કી કર્યું અને વર્ષ ૨૦૧૮ માં મકાન ભાડે રાખીને સેવાકીય કાર્યની શરૂઆત કરી.

પરંતુ તેવામાં અચાનક કોરોના આવી પડતા દરેકની જેમ તેમનેપણ ઘણા માઠાપરિણામો સહન કરવા પડ્યા ગુણવંત ભાઈએ જણાવ્યું કે કોરોનાને કારણે પોતાનું કારખાનું બંધ થતા ઘણી આર્થીક મુશ્કેલી સર્જાણી એક સમય તો એવો પણ આવ્યોકે તેમને થયું કે તેઓ આ વૃદ્ધ દંપતીઓને સાચવી નહિ શકે અને તેમની બીજે વ્યવસ્થા કરવી પડશે. તેવામાં મારા મિત્ર અરવિંદ ભાઈએ આ મુશ્કેલ સમયમાં ઘણી મદદ કરી અને ફરી સેવા કીય કાર્ય શરુ રહ્યું.

જોકે હલમાં પણ ગુણવંત ભાઈનું કારખાનું બાંધજ છે પરંતુ અગાઉ ખરીદેલ દુકાન ભાડું અને તેમના બંને પુત્રો જે નોકરીઓ કરે છે તેમાંથી આવતી રકમમાંથી તેઓ પોતાનું ગુજરાન ચલાવે છે. તેમણે જણાવ્યું કે જયારે સેવા કાર્ય શરુ કર્યું ત્યરે ચાર લોકો હતા અને આવે ૩૦ લોકોનો સેવા કરીએ છીએ જે માટે મહિને ૭૦ હજાર કરતા પણ વધુ ખર્ચ થાય છે. જે પૈકી અમુક રકમ દાતાઓ દ્વારા જયારે આશરે ૧૦ હજારકરતા પણ વધુ રકમ પોતે ઘરની ઉમેરીને વૃધોની સેવા કરે છે. આમ તેઓ તન મન અને ધનથી સેવા કાર્યમાં જોડાયેલા છે. જણાવી દઈએ કે ગુણવંત ભાઈના પત્ની લતાબહેન જાતેજ બે સમય આ દંપતીઓ માટે ભોજન બનાવે છે. આમ પોતે મુશ્કેલીમાં હોવા છતા પણ આ દંપતીએ પોતાના સેવાના કાર્યને બંધ ણ થવા દીધું અને મિસાલ સાબિત કરી જો તમે પણ આ સેવાકીય પ્રવૃતિઓનો ભાગ બનવા માંગો છો અને યથાશક્તિ મદદ કરવા ઈચ્છતા હોવ તો તેમને 9925899043 અથવા 9601550342  નંબર પર સંપર્ક કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!