Gujarat

સુરતમાં 18 વર્ષીય દીકરીએ જન્મદિવસ પેહલા જ આત્મહત્યા કરી જીવન ટૂંકાવી દીધું!! પુરી ઘટના જાણી રડી તમે પણ ભાવુક થઈ જશો..

હાલમાં દિવસેને દિવસે આત્મહત્યાના બનાવો બની રહ્યા છે, ત્યારે હાલમાં જ સુરત શહેરમાં 24 વર્ષીય યુવતીએ પોતાનું જીવન ટૂંકાવી દીધું. દિવ્યભાસ્કરના અહેવાલ પ્રમાણે જાણીએ કે આખરે આ યુવતીએ શા માટે પોતાનું જીવન ટૂંકાવેલું. ખરેખર આ ઘટના ખુબ જ દુઃખદ છે. પ્રાપ્ત થયેલ વિગત અનુસાર
પાંડેસરા વિસ્તા રહેતી અને મૂળ બંગાળની 18 વર્ષીય શ્રુતિ મુકેશ હાજરા એ જીવન ટૂંકાવી લીધેલ.

શ્રુતિએ એવા કારણે જીવન ટૂંકાવ્યું કે આ દરેક માતા પિતા એ આ જાણવું જરૂરી છે અને સંતાનો માટે આ એક સમજવા જેવી અને સાવચેતી સમાન છે. મૃતક યુવતીના પિતા ડોક્ટર છે અને ઘરની નજીકમાં જ એક ક્લિનિક છે તેમજ. પરિવારમાં એક ભાઈ અને એકની એક દીકરી હતી, જેને પોતાનું જીવન માત્રને માત્ર શાળામાં પરિણામ સારું ન આવ્યું હોવાથી સતત ડિપ્રેશનમાં રહેવાના કારણે ગુમાવ્યું.

.સૌથી ખાસ વાત એ કે મૃતક શ્રુતિ પોતાના જ પિતાની જેમ ડોક્ટર બનવાની ઈચ્છા ધરાવતી હતી પરંતુ પોતાનું સપનું પુરુર કરવા ને બદલે આવું પગલું ભર્યું,. આ બનાવ ત્યારે બન્યો જ્યારે તેમાં માતા શાકભાજી લેવા ગયેલ અને ભાઈ અગાસી પર હતો. જ્યારે બેન દરવાજો ન ખોલ્યો તો ભાઈએ સ્લાઈડિંગ બારીમાંથી બહેનને લટકતી હાલતમા જોતા બૂમ પાડેલ. જેથી પરિવારજનો દોડી આવ્યાં હતાં.

શ્રુતિને પરિણામ સારું નહીં આવતાં માનસિક તણાવમાં રહેતી હતી. માર્ચ-2024માં શ્રુતિ ફરી પરીક્ષા આપવાની હતી પણ તેને માનસિક તણાવમાં જ આવીને પોતાનું જીવન ટૂંકાવી લીધું, પરીક્ષામાં ધાર્યું પરિણામ ના આવતા તેને હોટેલ મેનેજમેન્ટનો કોર્સ પણ શરૂ કરેલ અને સાથોસાથ તેના મનમાં માત્ર ડોક્ટર બનવાની ઝંખના હતી પરંતુ એક માનસિક તણાવને લીધે તેને આવું પગલું ભર્યું.

માતા પિતાઓ એ પોતાના સંતાનોને સાથ આપવો જોઈએ અને તેમને મનથી મક્કમ બનાવવા જોઈએ. હાલમાં આ કિસ્સા પરથી દરેકવિધાર્થીએ એ યાદ રાખવું જોઈ કે પરિણામ તમેં ધારો તો બદલી શકશો પરંતુ એકવાર જીવ ગુમાવ્યા પછી ફરી આ દુનિયામાં અધૂરા સપના પુરા કરવા ફરી નહિ આવી શકો. આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે, શ્રુતિની દિવ્ય આત્માને શાંતિ અર્પે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!