Gujarat

બાગેશ્વર બાબા ના દરબાર મા રાજભા ગઢવી રમજટ બોલાવી દીધી ! “ભારત મા હવે ભગવો લહેરાય” ગીત ગાઈને…. જુઓ વિડીઓ

ગુજરાત ચારો તરફ માત્ર ને માત્ર જય બાલાજીનો નાદઘોષ ગુંજી રહ્યો છે. જ્યાં જ્યાં જુઓ ત્યાં માત્રને માત્ર બાગેશ્વર ધામની ચર્ચાઓ થઈ રહી છે. અમાદાવદ અને સુરતમાં દિવ્ય દરબાર યોજાયા બાદ રાજકોટમાં પણ ભવ્ય રીતે દિવ્ય દરબાર યોજાયો હતો. આ દિવ્ય દરબારમાં ખ્યાતનામ ગાયક કલાકારોએ હાજરી આપી હતી. આ દિવ્ય દરબારમાં રાજભા ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે એવી રમઝટ બોલાવી કે સૌ કોઈનું મન ભગવાન રંગે રંગાઈ ગયું હતું.

આ દિવ્ય દરબારમાં રાજભા ગઢવીએ કહ્યું હતું કે, ચારે તરફ ભગવો દેખાઈ છે, ત્યારે બાબા એ ગુજરાતનું વાતાવરણ ગાંડું કર્યું છે. હું પગે લાગીને વિનંતી કરું છું કે આપણે કોઈનો વિરોધ નથી કાંઈ નથી. અહીંયા જેટલા આવ્યાં છે ને સાંભળે છે તમે કાંઈ સારું ના કરી શકતા હોય તો કાંઈ નહિ પણ જે સારું કરે છે જોડવાનું કરે છે એમને નડવાનું બંધ કરી દો. જે વિરોધ કરે છે.

રાજભા ગઢવીએ સનાતન ધર્મ માટે એક ગીત પણ ગાયું જે તેમને ખૂબ જ ગમે છે. રાજભા ગઢવીએ જ્યારે પોતાના સ્વમુખે ગાયું કે, ” સનાતન ધરમના સારા કામ થાય, ભારતમાં જો હવે ભગવો લહેરાઈ ” આ શબ્દો જ્યારે સ્ટેજ પરથી નીકળ્યા ત્યારે સૌ કોઈના રોમે રોમમાં સનાતન ધર્મ પ્રત્યેની આસ્થા દ્રઢ થઈ ગઇ હશે. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આપણે જાણીએ છે કે રાજભા ગઢવી અનેક વાર સ્ટેજ પરથી ગુજરાતી લોક સાહિત્ય અને સનાતન ધર્મની વાતો કરતા હોય છે. રાજકોટ શહેરમાં પણ તેમણે દિવ્ય દરબારમાં સનાતન ધર્મનું ગીત ગાઈને સૌ કોઈ રાજકોટવાસીઓને મંત્રમુગ્ધ બનાવી દીધા. રાજભા ગઢવીની જેમ ગીતારબારીએ પણ દિવ્ય દરબારમાં હનુમાનજીનું કીર્તન ગાઈને બાલાજી મહરાજની ભક્તિમાં લીન કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!