ઓસ્ટ્રેલીયામાં મૂળ ગાંધીનગરના યુવાન નું મોત નીપજ્યું ! મૃત્યુ થવાનું કારણ…
આપણા દેશના ઘણા હોશિયાર વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ માટે વિદેશ જતા હોઈ છે, ત્યાં જઈ અભ્યાસ કરી ત્યાં સારી મલ્ટીનેશનલ કંપની માં નોકરી કરતા હોઈ છે, અને આપણા દેશનું ગૌરવ વધારે છે, અને ઘણા વિદ્યાર્થીઓની પરિસ્થતિ ખરાબ હોઈ છે, પણ અભ્યાસ માં તે ખુબજ હોશિયાર હોઈ છે, તો તેવા વિદ્યાર્થી સ્કોલરશીપ દ્વારા વિદેશ જઈ અભ્યાસ કરતા હોઈ છે.
તેવા જ એક આપણા ગુજરાત ના ગાંધીનગર ના પડુંસ્મા ગામમાં રહેતા ભરતભાઈ પટેલ નો પુત્ર નામે જય પટેલ પોતાના અભ્યાસ માટે ખુબજ મહેનત અને પરિશ્રમ કરી ઓસ્ટ્રેલીયા મેલબોર્ન ખાતે ભણવા ગયો હતો. ભરતભાઈ ને એક દીકરી પણ છે, તેમનો પુત્ર પોતાના સપના પુરા કરવા અને પગભર થવા વિદેશ ખાતે અભ્યાસ અને નોકરી માટે ગયો હતો, પરંતુ આ પટેલ પરિવાર પર અચાનક જ મોટું આભ ફાટ્યું હતું, વિધિના વક્રતા એ કઈ અલગ જ ઈચ્છા રહી હોઈ એમ ગત ૧૦ મી ડિસેમ્બર ની રાત્રે જય ગાઢ નિદ્રામાં જ શંકાસ્પદ મોત થયું હતું, જય એ રાત્રે સુતો પછી જાગ્યો જ નહિ.
ઘટના ની વાત કરીએ તો જય પટેલ ગત ૧૦ મી ડિસેમ્બર ની રાત્રે નોકરી પરથી ઘરે આવ્યો હતો. અને સુઈ ગયો હતો, પરંતુ થયું એવું કે તે સુતો એ સુતો પછી તે સવારે જાગ્યો જ નહિ, તેની સાથે તેના રૂમ મેટ્સ એ તેને જગાડવાની ઘણી કોશિશ કરી પણ તે ઉઠ્યો નહિ, તેથી તેના મિત્રો એ ગભરાઈ ને ઈમરજન્સી એમ્બ્યુલન્સ ને જાણ કરી અને તે આવતા તેની તપાસ કરતા તેને મૃત જાહેર કર્યો હતો. આ ખબર મળતા ની સાથે તેની સાથે રહેતા તેના ભારતીય મિત્રો ને ખુબજ શોક લાગ્યો હતો, અને આ ખબર તેમણે તરત જ જય ના પરિવાર જનો ને જાણ કરી હતી, અને આ સમાચાર મળતાની સાથે તેના પરિવાર જનો ભાંગી પડ્યા હતા, અને તેમના પર જાણે આભ ફાટ્યું હોઈ તેવી પરિસ્થતિ ઉભી થઇ હતી.
જય ની મૃત્યુ ની જાણ બાદ તેના મૃત શરીર ને તેના વતન પરત મોકલવા માટે તેના મિત્રો એ તૈયારી શરુ કરી દીધી હતી, પરંતુ તેના મૃત શરીર ને વતન મોકલવા માટે ખુબજ ખર્ચો થતો હતો, તેથી તેમના મિત્રોએ આ ખર્ચ ને પહોંચી વળવા માટે ગો ફંડ મી વેબસાઈટ દ્વારા ફંડ એકઠું કર્યું હતું. અને જય ના ભારતીય મિત્ર વર્તુળ દ્વારા જય નાં મૃત શરીર ને પરત મોકલવા અત્યાર સુધીમાં ૪૫ હજાર ડોલરથી વધુની રકમ એકઠી કરી હતી. અને સોમવારે જયના મૃતદેહ ની કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા પછી પરિવાર સુધી મોકલી આપવાની વ્યવસ્થા મિત્રો દ્વારા કરવામાં આવશે .