Gujarat

પેપર લીક મામલે પ્રદર્શન કરવા ગયેલ આમ આદમી પાર્ટીના નેતા ઈશૂદાન ગઢવીનો લિકર ટેસ્ટ રિપોર્ટ આવ્યો પોઝિટિવ જે બાદ અરવિંદ કેજરીવાલ…….

મિત્રો સરકારી નોકરી ! આજના સમય માં દેશના દરેક યુવાન માટે નોકરીની બાબતમાં સરકારી નોકરી પહેલી પસંદ બની ગઈ છે. દેશનો મોટા ભાગનો યુવા વર્ગ આવી સરકારી નોકરી માટે ની સ્પર્ધાત્મક પરીક્ષા માટેની તૈયારીઓ માં પોતાની મહેનત કરતો જોવા મળે છે. દેશમાં અલગ અલગ પરીક્ષાઓ દ્વારા સરકાર ના અલગ અલગ વિભાગોમાં અલગ અલગ પોસ્ટ માટે ભરતી કરવામાં આવે છે. હાલમાં આવી ભારીતી ને લઈને અનેક પરીક્ષાઓ ચાલી રહી છે. જો કે છેલ્લા થોડા સમય માં ગુજરાત માં લેવાયેલ પરીક્ષાઓ પૈકી અમુક પરીક્ષાઓ રદ કરવામાં આવી.

પરીક્ષા રદ થવાનું મુખ્ય કારણ પેપર લીક છે. હાલ આવીજ એક પરીક્ષા ને લઈને રાજકારણ ઘણું ગરમાયેલું જોવા મળે છે. મિત્રો જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ લેવાયેલ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળી ની હેડ ક્લાર્ક ની પરીક્ષાનું પેપર લીક થયા અંગે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજ સિંહ જાડેજાએ જણાવ્યું હતું. જે બાદ તાપસ માં માલુમ પડ્યું હતું કે જે પ્રિન્ટિંગ પ્રેસમાં આ પેપર છાપવા માટે મોકલવામાં આવ્યું હતું ત્યાંના કર્મચારી દ્વારા આ પેપર લીક કરવામાં આવ્યું હતું. આ બાબત અંગે જાણકારી મળ્યા બાદ આ પરીક્ષા રદ કરવામાં આવી હતી.

વારંવાર થતા પેપર લીક અને પરીક્ષા રદ ના વિરોધ માં ઉપરાંત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેનના રાજીનામાં ની માંગણી સાથે ગુજરાત આમ આદમી પાર્ટી ના નેતાઓ ભાજપ ના પ્રાદેશિક કાર્યાલય વિરોધ પ્રદર્શન કરવા ગયા હતા. તેવા સમયે ગુજરાત ભાજપા નેતા શ્રદ્ધા રાજપૂતે આમ આદમી પાર્ટી નેતા ઈશુદાન ગઢવી કે જેઓ અહીં પ્રદર્શન કરવા ગયા હતા. તેમના પર આક્ષેપ મુક્ત જણાવ્યું હતું કે ઈશુદાન ગઢવી વિરોધ પ્રદર્શન કરતી વખતે નશા ની હાલત માં હતા. આ ઉપરાંત પ્રદર્શન દરમિયાન તેમણે મહિલાની છેડતી પણ કરી હતી.

જે બાદ પોલીસ ટિમ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ને પકડી લેવામાં આવ્યા હતા. જે બાદ સિવિલ હોસ્પિટલ માં ઈશુદાન ગઢવી ના લોહીના સેમ્પલ નું શરૂઆત માં પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. જો કે આ તપાસ બાદ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ને 12 દિવસ માટે જેલ માં રાખવામાં આવ્યા જે બાદ જયારે ઈશુદાન ગઢવી અને અન્ય લોકો બહાર આવ્યા ત્યારે ઈશુદાન ગઢવી નો લિકર ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

જે બાદ તેમની સામે ફરી ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે આમ આદમી પાર્ટી અધ્યક્ષ અને દિલ્હી ના મુખ્ય મંત્રી એ પોતાની પ્રતિક્રિયા આપતા એક ટ્વિટ કર્યું છે જેમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાત માં વારંવાર પેપર લીક ની ઘટના સામે આવે છે. જેના કારણે યુવાનોના ભવિષ્યને અસર થાય છે. આ બાબત અંગે જયારે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ નોંધાવવામાં આવે છે ત્યારે પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી પર ખોટો આરોપ મુકવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું કે છેલ્લા 27 વર્ષથી ગુજરાત ની સાતમા બેસેલી ભાજપ યુવાનોને રોજગારી આપવાને બદલે રાજનીતિ કરે છે.

આ ઉપરાંત પોતાના પર લાગેલા આરોપ અંગે પોતાનો પક્ષ રાખતા ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે મેં કયારે પણ દારૂ પીધું નથી અને ભવિષ્ય્માં પીવાનો પણ નથી. ભગવાનના સોગંધ ખાઈ ને કહું છું. તેમણે વધુમાં જણાવ્યું કે જયારે પહેલો પ્રાથમિક રિપોર્ટ નેગેટિવ આવ્યો તો પછી બીજો રિપોર્ટ કઈ રીતે પોઝિટિવ આવે આ ઉપરાંત આ બીજો રિપોર્ટ ઘટનાના 12 દિવસ પછી કે જયારે તેઓ જેલની બહાર આવ્યા ત્યારે જ કેમ આવ્યો ? સાથે તે દિવસની સીસીટીવી ફૂટેજ હજુ સુધી કેમ જાહેર કરવામાં આવી નથી ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!