India

30 કરોડની સંપતિનો ત્યાગ કરી આ આખા પરીવારે દીક્ષા ગ્રહણ કરી ! આવુ કરવા પાછળ નુ કારણ…

જૈન ધર્મમાં દીક્ષાનું ખૂબ જ અનેરું મહત્વ છે. સંસારનો તમામ મોહ છોડીને લોકો સંયમ નાં માર્ગે ચાલી નીકળે છે. ત્યારે હાલમાં જ એક ઘટના એવી બની છે કે, 30 કરોડની સંપતિનો ત્યાગ કરી આ આખા પરીવારે દીક્ષા ગ્રહણ કરી ! આવુ કરવા પાછળ નુ કારણ એવું છે કે, તમારું દિલ જીતી લેશે. આજના સમયમાં વ્યક્તિ પોતાના જીવનમાં માત્ર ને માત્ર પૈસા ખાત જ પોતાનું જીવન જીવે છે, ત્યારે આવા સમયમાં ઘણા ઓછાં વ્યક્તિઓ હોય છે, જેઓ બધું જ ત્યાગ કરી ભક્તિના માર્ગે જાય છે.

હાલમાં જ એક પરિવારે 30 કરોડ રૂની સંપત્તિ છોડીને દીક્ષા લેતા સૌ કોઈ ચોકી ગયા હતા. આ ઘટના બની છત્તીસગઢમાં! દવાનો વેપાર કરનાર ડાકલીયા પરિવારે જૈન ધર્મના સંસ્કારો અનુસાર દીક્ષા ગ્રહણ કરી છે.ગુરુવારે જૈન બગીચામાં પરિવારના મોભી મુમુક્ષુ ભૂપેન્દ્ર ડાકલીયા સહિત 5 સભ્યોએ દીક્ષા લીધા લીધી હતી.આ પરિવાર વૈભવસુખ છોડીને સંયમી જીવન જીવશે.

મુમુક્ષુ ભૂપેન્દ્ ભાઈ પાસે કરોડો રૂપિયાની પ્રોપર્ટીમાં જમીન, દુકાનથી લઇને અન્ય સંપતીઓ સામેલ છે. વર્ષ 2011માં રાયપુરના અવેપા કૈવલ્યધામ ગયા બાદ મનની અંદર સન્યાસ લેવાનો વિચાર આવ્યો. ત્યારબાદ અમે પરિવારના તમામ સભ્યોએ સાથે મળીને 9 નવેમ્બરના રોજ દીક્ષા લીધી.પરિવારના તમામ સભ્યોએ દીક્ષા ગ્રહણ કર્યા બાદ તમામ મુમુક્ષોને અલગ-અલગ કરી દેવામાં આવ્યા હતા

છત્તીસગઢના રાજનાંદગામના ગંજ ચોકમાં રહેતા રહેતા 47 વર્ષના મુમુક્ષુ ભૂપેન્દ્ર ડાકલીયાના પરિવારના સભ્યોએ જે સભ્યોએ દીક્ષા ગ્રહણ કરી છે તેમાં તેમની 45 વર્ષની પત્ની સપના ડાકલીયા, 22 વર્ષની દીકરી મહિમા ડાકલીયા, 16 વર્ષનો હર્ષિત, 18 વર્ષનો દેવેન્દ્ર ડાકલીયા સામેલ છે.20 વર્ષની દીકરી મુકતાનું સ્વસ્થ્ય ખરાબ હોવાના કારણે તેને દીક્ષા આપવામાં આવી નહોતી. હવે તેમની દીક્ષા ફેબ્રુઆરીમાં થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!